SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સમાચરણ ખનાવી દીધા છે) આ કોઈ દંત કથા નથી, હકીકત છે. આ મધુ સમજાઈ જાય તો પછી ધન પાછળ કોણ પાગલ બને ? મહારાજશ્રીએ સાચું જ કહ્યું છે કે, “ધતૂરામાં જે માદકતા છે, તે કરતાં સુવર્ણ માં સો ગણી માદક્તા વધારે છે. ધતૂરો ખરીદીને ઘરમાં રાખવા માત્રથી માદકતા આવતી નથી, જ્યારે સોનું તો પ્રાપ્ત કરવા માત્રથી માનવી ઉન્મત્ત મને છે” જગતના એક મહાન કવિ શેકસપિયરે પણ આવી જ વાત કરતાં કહ્યું છે કે, “સોનું એ માનવના આત્મા માટે ખરાખમાં ખરામ વિષ છે. દુઃખથી ભરેલી આ દુનિયામાં ખીજા કોઈ પણ ઝેર કરતાં, ધનનું ઝેર વધારે ખૂનોનુ નિમિત્ત બને છે.” માર્ગાનુસારીનો ખીજો ગુણ ‘શિષ્ટાચાર પ્રશ’સક છે.’ લોકાપવાદથી ડરતા રહેવું. જે જે કાર્યો કરવાથી આપણીપર લોક પવાદ આવે તેવા લોક વિરૂદ્ધ કાર્યોનું પહેલાથી જ સમજીને પરિત્યાગ કરવો. ‘ગૃહસ્થ જીવનમાં વૈવાહિક મર્યાદા’ એ ત્રીજો ગુણ છે. દાંપત્ય જીવનમાં કુળ અને શીલની સમાનતા ન હોય તો વિડંખના ઊભી થાય છે એ વાત સતી સુભદ્રાના દૃષ્ટાંતથી અત્રે સમજાવવામાં આવી છે. લગ્ન જીવનનો અંતિમ હેતુ ભોગ નહીં, પણ ભોગમાંથી મુક્તિનો છે. આજના યુવાનો સ્ત્રીના ગુણો કરતાં તેના રૂપ સૌંદય ને વધુ મહત્વ આપે છે, એવી ટકોર મહારાજશ્રીએ સમયોચિત જ કરી છે. ૨૫ માટે કહેવાય છે કે તે (રૂપતિ) વિકૃત થઈ જાય છે. રૂપ તો ગધેડાઓમાં પણ હોય છે, પરંતુ મહત્તા રૂપની નથી પણ ગુણની છે. લગ્ન માટેના રૂપ પિપાસુ ઉમેદવારોએ ભર્તૃહરિનુ માર્યાં પતિ જૂ: સૂત્ર યાદ રાખવુ જરૂરી છે. એ ચોથો અને પાંચમો ગુણુ અનુક્રમે · પાપભીતા' અને ‘દેશાચારનું પાલન’ છે. મહારાજશ્રીએ સાચી જ રીતે અહિં માહ્ય વૈભવ કરતાં પણ અંતર વૈભવનું મૂલ્યાંકન વધુ કર્યું છે. નિઃશલ્ય, નિ:કષાય અને નિવૈર આત્માની ગુણશ્રેણી ઉત્તરોત્તર વૃદ્ધિને પામે છે.
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy