SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ ૧૭ બગડે છે. વર્તમાન કાળના ધનવાન લોકોનું ચિત્ર રજૂ કરતાં મહારાજશ્રીએ સાચું જ કહ્યું છે કે, “આજે તો જ્યાં સોનું, ચાંદી અને હીરા માણેક છે, ત્યાં દરોડા જ પડે છે. રાખીને બેઠા હોય તેને ચિંતાનો પાર નહીં, એટલે સોને કે ચાંદીમાં સુખ છે એ તો એક પ્રકારની જમણું જ છે. ખરું સુખ તો જ્ઞાન ને ધ્યાનની રમણતામાં જ છે. એ સત્ય માનવીને સમજાશે તે દિ દિલની દુનિયાના દ્વાર ખૂલી જશે.” થોડા શબ્દોમાં પણ કેવી સુંદર વાત તેઓશ્રીએ કહી દીધી છે! વિવેકશીલની વ્યાખ્યા કરતાં ઉત્તરાધ્યયન સૂત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે ન પામેન પરના વિવેને ઇવન અર્થાત પ્રાપ્ત થયેલા કામભોગોમાં પણ વિવેકીને ઈચ્છા થતી નથી. શાળીભદ્ર, ધન્નાજી, સ્થૂલભદ્રને રિદ્ધિસિદ્ધિની શી કમીના હતી? છતાં તેઓ બધું છોડી ત્યાગના પંથે ગયા, ત્યારે આજના મૂખ લોકો, પેલું કુતરૂં હાડકાં પાછળ ગાંડુ બને છે તેમ રિદ્ધિસિદ્ધિની પાછળ દોડે છે. સમૃદ્ધિ અને વિપુલ ધનથી માણસ સુખ પ્રાપ્ત કરી શકે છે એવું માનવું એ તો મૂર્ખાઈની પરાકાષ્ઠા છે. અમેરિકા આજે જગતનો સૌથી વધુ સમૃદ્ધિશાળી દેશ છે અને જગતના કોઈ પણ દેશ કરતાં ત્યાં જ પાગલ લોકોની સંખ્યા વધુમાં વધુ છે. ગાંડા લોકોની હોસ્પીટલો વધુમાં વધુ ત્યાં જ છે. ધન પ્રાપ્ત કરી કામભોગો સેવવાની ઈચ્છા રાખતા લોકો, કામભોગના અર્થને પણ સમજતા નથી. કામભોગની ઈચ્છાથી વ્યાપ્ત થયેલા જીવને, ધર્મ માર્ગમાંથી ઉત્ક્રમણ કરાવે છે (૩યમતિ) તેથી જ તો તેને “કામ કહેવાય છે. પંડિતજનોએ તેનું બીજું નામ “રોગ જ આપ્યું છે. રોગ એ ભોગનો પર્યાય શબ્દ છે. સત્તા, સમૃદ્ધિ અને ભોગોની નશ્વરતા અને પામરતા સમજ્યા બાદ જંગલમાં ચાલી જનાર ભર્તુહરિ જેવા મહાન રાજવીને પણ કહેવું પડ્યું છે કે, મોના પુરતા એક પુરા અર્થાત અમે ભોગોને નથી ભોગવ્યા, પણ ભોગોએ અમને ભોગવ્યા છે. (અસમર્થ,ક્ષીણુશક્તિવાળા
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy