________________
મંગલાચરણ
-
~ દેખાતા હોય. આ બધા ઉભટ વેષના પ્રકારો છે. તેવા ઉભટ વેષ પહેરવાથી કયારેક સારા મનુષ્યોનાં મન પણ વિચલિત થઈ જાય. વેશભૂષા પણ માનસિક વિકૃતિમાં કારણ બને છે. વેશભૂષામાં સ્વચ્છતા અને સુઘડતા હોય તો મન પરિણામ પર તેની ઘણી સારી અસર પડે છે. આજના કેટલાક યુવકો પણ વસ્ત્રો એટલાબધા કસીને પહેરતા હોય છે કે બેસવામાં ખ્યાલ ન રાખે તો કયારેક ફચ દેતાં ફાટી જાય. વસ્ત્રોમાં નિતનવી ડિઝાઈનો બહાર પડે છે. ફેશનની તો દુનિયામાં જાણે (Competetion) હરીફાઈ ચાલી રહી છે. ઘરમાં રેશન ન હોય તો ચાલે પણ ફેશન પહેલાં કરવા જોઈએ. વિદ્યાર્થીઓ પણ ફેશનના મોહમાં કેટલીકવાર (Lesson) લેસન ભૂલી જાય છે. શાસ્ત્રકારો વિજ્ઞાનુસાર વેશ રાખવાનું કહે છે, જ્યારે આજે પાટલુનનું કપડું લેવું હોય તો ૮૦ થી ૯૦ રૂપિયા વારનું ઊંચામાં ઊંચું કપડું જોઈએ, તેમાંએ ટેરેલીન, સાસકીન આદિ કેટલીએ જાતો નીકળી પડી છે. - ઘરમાં પોતાના વડિલને ભલે મહિને બસો ત્રણસો માંડ મળતા હોય, પણ પોતાના શોખ પૂરા કર્યા વિના ને ચાલે. ઘરના વડિલોને કેટલીકવાર માથે કર્જ કરીને પણ પોતાની પત્નિ અને પુત્રપુત્રીઓના શોખ પૂરા કરવા પડે છે. તેવા મનુષ્યો કજે નીચે કેટલીકવાર એવા દબાઈ જાય છે કે વર્ષોના વર્ષો સુધી ફરી પાછા ઊભા થઈ શક્તા નથી.
હા ! પોતાની પાસે અઢળક સંપત્તિ હોય તો તેને અનુરૂપ વેષ રાખે ! વૈભવ અનુસાર વેષ ન રાખે તો લોકોમાં