SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ મગલાચરણ વેષ વિત્તાનુસાર માર્ગાનુસારીના તેરમા ગુણની વ્યાખ્યામાં લખે છે કે ગૃહસ્થ શરીરપર જે વેષ ધારણ કરે તે પણુ વિત્તાનુસાર જોઇએ. વસ્ત્ર અલંકારાદિનો ભોગવટો કરવામાં પોતાની વય દેશ કાળ જ્ઞાતિ આદિનો પણ ખ્યાલ રાખવો જોઇએ. આપણે બધા રહીએ છીએ ભારત દેશમાં તો પછી વેશભૂષા પણ આપણા દેશને અનુરૂપ હોવી જોઇએ. સ્વદેશમાં રહીને પણ કેટલાક મનુષ્યો વેશભૂષામાં વિદેશનુ અનુકરણ કરતા હોય છે, તે તેમના માટે બિલકુલ શોભાસ્પદ નથી. પરદેશી વેશભૂષાનો મોહ મૂકી દેવો જોઈએ. એટલુ જ નહીં પરદેશી વસ્તુઓનો પણ મોહ નહીં રાખવો જોઈએ. સ્વદેશમાં બનતી નિર્દોષ વસ્તુઓનો ઉપયોગ કરવાથી જીવનમાં પણ નિર્દોષતા આવવાની છે. વેશભૂષામાં ઉદ્ભટતા નહીં હોવી જોઇએ. પૂજ્યશ્રી વીરવિજયજી પૂજાની ઢાળમાં લખે છે કે : અતિ ભટ વેષ ન પહેરીએરે લોલ, વિધરીએ મલીનતા વેષ જો, સુને સ`સાર શેરી વિસરીરે લોલ. અતિ ઉદ્ભટ વેષ શરીરપર ધારણ નહીં કરવો જોઇએ, આછકલો વેષ તેને ઉભટ વેષ કહેવામાં આવે છે. અડધા શરીરપર વસ્ત્ર હોય અને શરીરના અડધા ભાગપર જાણે વસ્ત્ર જ ન હોય તે પણ ઉલટ વેષ કહેવાય. તેવા ખારીક વસ્ત્રો પણ ધારણ નહીં કરવા કે શરીરના અવયવો સ્પષ્ટ
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy