________________
મંગલાચરણ
૧૮૫
જવાની વાત છે જ નહીં. ગુજરાતમાં ભય ઊભો થયો હોય તો મહારાષ્ટ્રમાં જાય અને મહારાષ્ટ્રમાં ભય ઊભો થયો હોય તો એમ. પી. માં જાય. જે રાષ્ટ્રમાં પોતે રહેતો હોય તેને તો વફાદાર જ રહેવાનુ છે. પહેલાં રજવાડાઓ કેટલા હતા ? ભારતમાં ગણતંત્રની સ્થાપના થતાં રજવાડાઓ ભૂંસાઈ ગયા. પહેલાના જમાનામાં કોઈ કોઈ રજવાડાઓમાં પણ કેવા જુલમો ગુજરતા હતા ? હવે તેવા સમયે સ્થલાંતર ન કરે તો પોતાનું સર્વસ્વ ગુમાવવું પડે.
ઉપદ્રવયુક્ત સ્થાન ન છોડે તો ક્યારેક સર્વનાશનો વખત આવે
દુષ્કાળ, મહામારી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા ઉપદ્રવો પણ ભયંકર કહેવાય. તેવા સમયે ગૃહસ્થ સ્થલાંતર ન કરે તો તેના મનમાં અસ્વસ્થતા વધી જાય. અસ્વસ્થતા વધે એટલે શરીરનું સ્વાસ્થ્ય પણ બગડે, સ્વાસ્થ્ય ખગડે એટલે બધું --બગડે. એટલું જ નહીં, તેવા ઉપદ્રવયુક્ત સ્થાનમાં રહેવાથી ઉપાર્જન કરેલા ધમ અ, અને કામ પુરૂષાનો વિનાશ થાય. આ ત્રણેનો વિનાશ થાય એટલે ગૃહસ્થનો આખો ભવ મગડે અને તેવા વાતાવરણમાં ખીજી નવી આવક ન થવાથી અને ઉપાર્જનનાં સાધનો ન રહેવાથી તેમ જ ધર્મ પુરૂષામાં પણ ચિત્ત ન લાગવાથી ઉભયલોક અગડ્યા જેવું થાય, માટે ઉપરોક્ત ઉપદ્રવયુક્ત સ્થાન ગામ નગર દેશ પ્રમુખનો ત્યાગ કરી દેવો તે માર્ગાનુસારીતાનો દશમો ખોલ છે.