________________
૧૮૬
મંગલાચરણુ
નિંદિત કાર્યોમાં ન પ્રવર્તવું
માર્ગાનુસારીતાના અગીયારમા ગુણ મુજબ નિંતિ કાર્યોમાં ગૃહસ્થ ન પ્રવર્તે. દેશ જાતિ અને કુળની અપેક્ષાએ જે કાર્યો વર્જિત હોય તેવા નિંદિત કાર્યોમાં ગૃહસ્થે પ્રવૃત્તિ કરવી નહીં. કારણ કે તેવા કાર્યો કરવા જતાં ગૃહસ્થ પોતાની જ્ઞાતિ અને સમાજમાં પાછો પડી જાય છે. જેમ કે મદિરાપાન, જુગાર, માંસ ભક્ષણ, પરસ્ત્રી સેવન આ અષાં કાર્યો આ લોકવિરૂદ્ધ તો છે જ પણ ભય લોકવિરૂદ્ધ છે. નિંદા અનીતિ ચાડી ચુગલી એ મધા કાર્યો તો આ લોકવિરૂદ્ધ છે જ્યારે ઉપરોક્ત કાર્યો તો ઉભય લોકવિરૂદ્ધ છે. માટે નિંતિ કાર્યોમાં મન વાણી ને શરીરને પ્રવર્તાવવાં નહીં. ત્રણે યોગોને શુભમાં જરૂર પ્રવર્તાવવા પણુ અશુભમાં નહીં પ્રવર્તાવવા.
કુળચંડાલ કરતાંએ કમ ચંડાલ ભયંકર
સામાન્ય કુળમાં ઉત્પન્ન થયેલા માનવીના પણ જો આચાર વિચાર શુદ્ધ હોય તો સમજવુ' તે મહાન પુરૂષ છે. ધર્માંબિન્દુ ગ્રંથની ટીકામાં પૂર્વાચા મહાપુરૂષે ફરમાવ્યું છે કે ઃ
न कुलं वृत्तहीनस्य, प्रमाणमिति मे मति । अंत्येष्वपि हि जातानां वृत्तमेव विशिष्यते ।।