________________
મંગલાચરણ
~~
~
ઉપદ્રવયુક્ત સ્થાનનો ત્યાગ
ઉપદ્રવયુક્ત
શત થયો હોય માગ કરે. સ્વચક્ર
માગનુસારીના દસમા બોલમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે :
त्यजन्नुपप्लुतं, स्थानमप्रवृत्तश्च गहिते ।
ઉપદ્રવયુક્ત જે સ્થાન હોય તેનો ગૃહસ્થ ત્યાગ કરી દે. સ્વચકનો ભય ઉપસ્થિત થયો હોય અથવા પરચક્રનો ભય ઉપસ્થિત થયો હોય તેવા સ્થાનનો ગૃહસ્થ ત્યાગ કરે. સ્વચક એટલે પોતાના રાજ્ય તરફથી પણ કેટલીકવાર ઉપદ્રવો એવા મચે છે કે મનુષ્યને અનિચ્છાએ પણ પોતાનું સ્થાન છોડવું પડે. જ્યાં વાડ પોતે જ ચીભડાં ગળે ત્યાં ફરિયાદ કયાં નોંધાવવી ? રાજા પોતે જ પરસ્ત્રી લંપટ હોય અને તેના સૈનિકો પણ તેવા જ રસ્તે ચડેલા હોય, પ્રજાના માલ અને ઈજ્જતની જ્યાં સલામતી ન હોય તેવા સ્વરાજ્યમાં પણ રહેવાનો શો અર્થ છે ? તેવો જ પરચક્રનો ભય ઊભો થયો હોય ત્યાં પણ સલામતી શી રહેવાની ? પરચક્રના ભય તો કેટલીકવાર એવા ઊભા થાય છે કે આખા રાજ્યને તારાજ કરી નાખે. અને પછી આડેધડે લૂંટ ચલાવે. તેમાં પછી જાનમાલ કે ઈજ્જતની સલામતી કયાંથી રહે ?
રાષ્ટ્ર પ્રતિ વફાદારી ગમે તેવા ઉપદ્રવના ભયે ભારત છોડીને પરરાષ્ટ્રમાં