SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ . . કહેવાય. એક ગામમાં આ વાત નીકળેલી ત્યારે એક ભાઈ બોલ્યા, મહારાજ ! આ જમાનામાં પગે લાગવાની વાત તો ઠીક પણ આ બધા અમારા સુપુત્રો તમારી સામે જ બેઠેલા છે. એમને એટલા પુરતો ઉપદેશ આપો કે અમારે તેમને પગે લાગવું ન પડે. મેં કહ્યું, તો પછી આ કાળના છોકરાઓમાં ઍસ્કાર શું પડ્યા કહેવાય ? ગમે તેટલું શિક્ષણ મેળવવા છતાં વિનય વિવેકના સંસ્કાર જીવનમાં ન પડ્યા હોય તો શિક્ષણ શા કામનું ? અને તેવા સંસ્કાર વિહીન સંતાનોની વચ્ચે રહેવા કરતાં શત્રુંજય જેવા તીર્થમાં રહીને તપ કરવું શું ખોટું ? જે કે માબાપનું પણ કર્તવ્ય છે કે બાળકોમાં શરૂઆતથી ગળથુથીમાં જ ધર્મના સંસ્કાર નાખવા જોઈએ. જે શરૂઆતથી જ તેમને ધર્મના સંસ્કાર મલ્યા હોય તો યુવાનીમાં તે સંસ્કારો જરૂર ખીલી ઊઠે, અને તેઓ જરૂર વિનીત અને નમ્રશીલ બને. સંતાનો પ્રત્યેની જે પોતાની જવાબદારી છે તે વડીલોએ પણ ભૂલવી ન જોઈએ. પરલોક સુધરે તેવા કાર્યો કરાવવા માતાપિતા અંગે એટલે સુધી કહ્યું છે કે, અપવિત્ર જગ્યાએ તેમનું નામ પણ નહીં લેવું જોઈએ અને કોઈ તેમના અવર્ણવાદ બોલતું હોય તો ત્યાં ઊભા પણ નહીં રહેવું જોઈએ. સારભૂત એવા વસ્ત્ર- અલંકારાદિ તેમને સમર્પણ કરવા જોઈએ. તે તે દ્રવ્યનો તેઓ ઉપભોગ કરે, તે પછી જ પોતે તેવા દ્રવ્યનો ઉપભોગ કરે. ભોજન પણ પહેલાં તેમને કરાવે, તે પછી પોતે જમે. તેમ ન કરે તો તે અનુચિત
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy