SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ મંગલાચરણ સુમધુર વચનો બોલતો હોય, ઉચ્ચ કુળમાં જન્મેલો હોય, તેનું યૌવન પણ ખીલી ઊઠેલું હોય છતાં વિનય અને પ્રશમથી વિહીન હોય તો તેના જીવનની શી શોભા છે ? નદીનો પટ ગમે તેટલો વિશાળ હોય પણ પટમાં પાણીનો પ્રવાહ જ ન વહેતો હોય તો નદીની શી શોભા દેખાવાની છે ? માટે જીવનમાં ગુણ પ્રગટાવવા હોય તો વિનીત બનવું. विणओ सासणे मूलं, वीणीओ संजओ भवे । विणयाओ विप्पमुक्कस्स, कओ धम्मो को तवो ॥ વિનય એ જિન શાસનનું મૂળ છે. વિનીત છે તે જ ખરો સાધુ છે. વિનયગુણથી ભ્રષ્ટ થએલાને ધર્મ કેવો ? અને તેને વળી તપ પણ કેવું ? અર્થાત તેને ધર્મ કયાંથી હોય, અને તપ પણ કયાંથી હોય? તે તો દેવાળીયા કંપનીનો મેમ્બર કહેવાય. જિન શાસનમાં તેને કયાંય સ્થાન ન મળે. વિનય વિવેકના સંસ્કાર વિનાનું શિક્ષણ શા કામનું ? માતાપિતા, કળાચાર્ય, ઘરની અંદરના વડીલો, એ બધા ગુરૂસ્થાને છે. તેમને ત્રણવાર પગે લાગવાનું એટલા માટે લખ્યું કે એમ કરતાં જીવનમાં નમ્ર ભાવ આવે. જ્યારે આ કાળમાં તો ત્રિસંધ્ય નમન વિધિ તો ઠીક પણ સવારે ઉઠતાંવેંત એકવાર પગે લાગતાં હોય તો એ ઘણું મોટી વાત
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy