SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ મંગલાચરણ કહેવાય. અને તેમને પરલોક સુધરે તે માટે તીર્થયાત્રા, સુપાત્રદાન દીન અનાથાદિનો ઉદ્ધાર જેવાં ધર્મનાં શુભ કાર્યો તેમના હાથે કરાવવા જોઈએ. તેમને જે કાંઈ અનિષ્ટ હોય તેવા વ્યવહારનો ત્યાગ કરી દેવો. દાખલા તરીકે તેમને સટ્ટાની લાઈન પસંદ ન હોય તો તે છોડી જ દેવી. તેમને જે કામકાજ પસંદ ન હોય તે ન જ કરવું. તેમને મીલ કારખાના વગેરે મહારંભનાં કયોં પસંદ ન હોય અને તે કાર્યોને તેઓ ધર્મવિરૂદ્ધ લેખતા હોય તો તે કાર્યો કરવા જ નહીં. તેમને જે ઈષ્ટ હોય તેમાં પ્રવર્તવું. ધર્મધ્યાનમાં તેઓ અંતરાય લેતા હોય તો વિનમ્રભાવે કહેવું કે, આપ ધર્મ પ્રવૃત્તિમાં અંતરાય ન નાખો, એ સિવાયની આપની દરેક આજ્ઞા શિરોમાન્ય કરવા તૈયાર છું. ના માતાપિતાના વિત્તનો તીર્થમાં વ્યય કરે तदासनाद्यभोगश्च, तीर्थेतद्वित्तयोजनम् । તેમના આસનાદિનો પોતે ઉપભોગ ન કરે એટલું જ નહીં તેમની જે અંગતમૂડી હોય તેનો તીર્થક્ષેત્રમાં અથવા સાત સુક્ષેત્રોમાં અથવા તેવા કોઈ પણ સન્માગે વ્યય કરે. જે સ્વયં ગ્રહણ કરે તો તેમના મૃત્યુમાં પોતાની અનુમોદનાનો પ્રસંગ આવે. વૃદ્ધ માતાપિતા પાસે મૂડી હોય અને તેમનાથી તેની મમતા મૂકાતી ન હોય એટલે તેમના પુત્રો વિચારે કે
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy