SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ જીવનમાં સદ્દગુણનો વિકાસ કરવો હોય તો સદાચારીનો સંગ કરવો, હલકાની સોબતનો ત્રિવિધે ત્યાગ કરવો. - ૬ છ ત રાજહંસ માટે કાગડાની સોબત એ સંગ કહેવાય કે કુસંગ કહેવાય ? કહેવું જ પડશે કે સંગ નહીં પણ તે કુસંગ જ કહેવાય. અને તેવા કુસંગને કારણે રાજહંસ જેવા રાજહંસનું કઈ રીતે મૃત્યુ થયું છે તે ઉપર દૃષ્ટાંત ઘટાવવામાં આવે છે. માન સરોવરને કાંઠે એક હંસ અને હંસલી બને સુખપૂર્વક વિહાર કરતાં હતાં. એટલામાં માન સરોવર ઉપરથી એક વાયસ (કાગડો) આકાશ માર્ગેથી પસાર થતો હતો. તે વાયસ દૂરદૂરના પ્રદેશમાંથી ઉડ્ડયન કરીને આવતો હોવાથી સુધા લાગવાને લીધે માછલાં ભક્ષણ કરવાના ધ્યેયથી આકાશ માર્ગેથી નીચે સરોવરમાં પડે છે અને ડૂબવાની તૈયારીમાં છે. તે જ સમયે હંસલી પોતાના પ્રિયતમ હંસનું ધ્યાન ખેંચે છે અને કહે છે કે, નાથ ! આ બિચારો વાયસ આકાશ માર્ગેથી સરોવરમાં પડી ગયો છે અને ડૂબી જવાની તૈયારીમાં છે માટે આપ આને કોઈ પણ ભોગે જીવિતદાન આપો ! કારણ કે સજ્જનોનું જીવન પરોપકાર માટે જ હોય છે. અને નાથ! જીવનનો પરમસાર પરોપકાર છે. સ્વનું તો સૌ કરે છે પણ પરનું કરનાર જ પરમ ગતિને પામે છે. - આ તો હંસલી હંસને બોધ આપે છે ! પણ આજે
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy