________________
મંગલાચરણ
તો મનુષ્યોમાં પણ પરોપકારની ભાવના રહી નથી. પોતાનો સગો ભાઈ વિપત્તિમાં હોય તોયે ઘણા કહી દેતા હોય છે કે એ તો એના કમ ઉદયમાં આવ્યા છે, તેમાં અમે શું કરી શકીએ ? અરે ભાઈ ! ઉદયમાં અવેલાં કમ સૌને ભોગવવનાં છે, પણ દુ:ખીને દિલાસો જરૂર આપી શકાય અને શક્તિ મુજબ તેના દુઃખમાં ભાગીદાર પણ બની શકાય. પરંતુ આ બધું તો માનવમાં માનવતા હોય તો જ બની શકે છે.. હુંસલીના વચન સાંભળીને હંસ સરોવરમાંથી કાગડાને અહાર કાઢે છે અને તેને જીવિતદાન આપે છે.
૧૭૩
જીવિતદાન આપનાર હુંસ તરફ કાગડાને ખુબ જ સદ્ભાવ ઉત્પન્ન થાય છે. તેના અંતરમાં હુંસ તરફ લાગણીના. ઘોડાપૂર વહેવા માંડે છે. જીવિતદાન આપવા અદ્લ તે વાયસ હંસનો ભૂરિ ભૂરિ આભાર માને છે અને હુંસને વિનવે છે. કે, આપનો મારીપર જો કે અનંત ઉપકાર છે, તેનો બદલો હું કોટીભદ્રે પણ વાળી શકું તેમ નથી, છતાં આજના દિવસ પૂરતા આપ મારા મહેમાન ખનો, અને હું જે નંદનવન જેવા પ્રદેશમાં વિહાર કરૂ છુ, ત્યાં આપ મારી સાથે પધારો.. કાગડાના ભાવભર્યું આમંત્રણથી હુંસ લલચાઈ જાય છે અને હું'સલીને કહે છે કે, તારી ઈચ્છા હોય તો આપણે બન્ને આજે વાયસરાજના મહેમાન બનીએ. હુંસલી કહે છે કે, નાથ ! પરોપકાર કરવામાં વાંધો નથી, માકી ભૂલેચૂકે કુસંગ કરવા જેવો નથી. આ આપને આમંત્રણ આપે છે પણ ધ્યાન રાખજો કે જાત કાગડાની છે. માટે મારી ઈચ્છા વિરૂદ્ધ આપ તેની સાથે જવું હોય તો જઈ શકો છો. ખાકી હું સાથે