SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ માટે શુભ કાર્યો એવા કરવા કે, આલોકમાં સુવાસ ફેલાવવાની સાથે પરલોક પણ સુધરે, અને ભવોભવનું ભાતું થઈ જાય. ઉપદ્રવવાળા મકાનનો તથા ભયંકર દુષ્કાળ પડ્યો હોય અથવા પરચક્રનો ભય ઊભો થયો હોય તેવા દેશનો જેમ ત્યાગ કરવો પડે, તેમ દુષ્ટ અને દુર્જન મનુષ્યોનો પણ દૂરથી જ ત્યાગ કરી દેવો. ૧૭ ગાય દુખળી હોય તોયે શુકનવંતી કોણ મનુષ્ય કેવા પ્રકારનો છે તેનું માપ તેના સંગ ઉપરથી નીકળે છે. મનુષ્યની પરીક્ષા તેના આજુબાજુના સર્કલ ઉપરથી થઈ જાય છે. જેના મિત્રો ધાર્મિક હોય તો સમજવું તે મનુષ્ય પણ ધાર્મિક રૂચિવાળો છે અને મિત્રો ધાર્મિક ભાવનાવાળા ન હોય અને કેવળ મોજશોખમાં પડેલા હોય તો સમજવું તેવાના સંપર્કમાં આવનાર પશુ તેવોજ હોવો જોઇએ. આ બધી ઘટનામાં અપવાદ તો રાખવાનો જ છે. સંક્ષેપમાં સાર એટલો જ છે કે સત્સંગની ખલિહારી છે. ગાય ગમે તેવી દુÖળ હોય તો પણ મુસાફરીએ જતાં માણસને તે સામી મળે એટલે તેના શુકન જ મનાવવાના છે અને ગધેડો ગમે તેવો વ્હાઈટ અને હૃષ્ટપુષ્ટ સામો મળ્યો હોય તોયે તેના અપશુકન જ મનાવવાના છે. આજ દૃષ્ટાંતે કોઈ સદાચારી મનુષ્ય પછી ભલે અલ્પ ધન વાળો હોય છતાં તેનું સંગ કરવું તે સત્સંગમાં જ ગણાવવાનો છે અને ગમે તેવો ધનાઢ્ય પુરૂષ હોય પણ તેનામાં સદાચાર ન હોય તો તેવાનો સંગ તે કુસંગમાં જ ગણાવાનો છે. માટે આપણા J
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy