________________
૧૭૦
મંગલાચર
સત્સંગની જેટલી ઉત્તમતા તેટલી જ
કુસંગની અધમતા જેટલી સત્સંગની ઉત્તમતા હોય છે તેટલી જ કુસંગની. અધમતા છે. સત્સંગ છોડવો નહીં તેમ કુસંગ કરવો નહીં. નબળાની સોબતમાં પડેલા ભલભલા પાયમાલ થઈ ગયા છે. ઉચ્ચ ગુણઠાણુની ભૂમિકાએ પહોંચેલા સાધુઓ પણ જે વધારે પડતો સંસારી મનુષ્યોનો સંગ રાખે તો તેઓ પણ ગુણઠાણાની ભૂમિકાથી નીચે ગબડી જાય છે. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ફરમાવે છે કે :
होत वचन मन चपलता, जनके संग निमित्त । जनसंगी होवे नही, ता ते मुनि जगमित्त ।
જન સમુદાયના વધારે પડતા સંગને લીધે મનવચનમાં ચપળતા આવતી જાય છે. જ્યારે ચારિત્ર એ તો સ્થિરતારૂપ છે. એટલા માટે આખાએ જગતના મિત્ર એવા મુનિ ભગવંતો. વધારે પડતા જનસંગને ઈચ્છતા નથી. અને જેમ બને. તેમ નિ સંગ દશાને જ અંદરથી ઝંખતા હોય છે. પ્રત્યેક. મનુષ્યોએ સત્સંગનો આદર કરવો અને આલોક અને પરલોક માટે જેઓ હિતકારી પ્રવૃત્તિ કરતા હોય તેવાનો પરિચય કરવો. જેથી આપણને પણ આપણું ઉભય લોક સુધારવા અંગેની પ્રેરણા મળતી રહે. “આ ભવ મીઠો ને પર ભવ કોણે દીઠો !” આવી માન્યતા તો નાસ્તિક જેવાની હોય, ત્યારે આપણે તો આલોકની જેમ પરલોકમાં પણ માનનારા