________________
ચલાચરણ
花
ક્ષણના સત્સ`ગનો પણ અપૂર્વ મહિમા
ઘોરાતિઘોર દુષ્કર્મને કરનારો મનુષ્ય પણ સત્સંગના પ્રભાવે પવિત્ર મની પ્રાંતે પરમાત્મપદ્મને પામી જાય છે. શ્રીમદ્ શંકરાચાય જી પણ લખે છે કે
:
क्षणमपिसज्जन संगतिरेका । भवति भवार्णव तरणे नौका ||
એક ક્ષણમાત્રનો સત્સંગ છે તે ભવસમુદ્રમાં નૌકા સમાન છે, એટલે કે એક ક્ષણના સત્સંગથી પણ જીવ તરી જા : છે. આખા દિવસમાં પા અડધી કલાકનો પણ મનુષ્યોએ અહર્નિશ સત્સ`ગ કરવો જોઇએ. આ તો એક અપેક્ષાએ લખ્યુ છે, ખાકી ઘણોખરો સમય મનુષ્યોએ સત્સંગમાં અને સારા ધાર્મિક પુસ્તકોના સ્વાધ્યાયમાં વિતાવવો જોઇએ. મનને નવરૂં પડવા જ નહીં દેવું. કહેવત પણ છે કે “નવરા નખોદ વાળે અને મન નવડું પડે એટલે સ’કલ્પવિકલ્પમાં જ ચડી જાય. સંકલ્પવિકલ્પને લીધે મનમાં નખળા વિચારો પણ આવે. કયારેક મન આધ્યાનમાં પણ પડી જાય. આ ધ્યાનને લીધે “વિષ્ણુ ખાધે વિષ્ણુ ભોગવે” નાહક નવા કર્મો બંધાય, એટલે ભવોભવમાં તે કર્મો પાછાં ભોગવવાં પડે. અને મન સ્વાધ્યાય તથા સત્સંગમાં રહે તો ખોટા વિચારો આવે નહીં અને વિકલ્પો આવે તો પણ સારા આવે જેથી આત્માને નાહક કર્મ બંધના ભાગી ખનવું ન પડે, માટે સત્સંગનો મહિમા અપરપાર છે.