________________
મંગલાચરણ
૧પપ
ગહ કરવામાં આવે છે. રાગદેવના પરિણામથી બંધાએલાં જે પાપો છે તે તે પાપકમની ગુરૂ સમક્ષ આલોચના કરનારો અને તે તે પાપકમોને આત્મસાક્ષીએ નિન્દનાર શ્રાવક તત્કાળ કમોને હણી નાખે છે. આ રહસ્યને સ્પષ્ટ કરનારી ગાથા આ રહી વંદિત્તા સૂત્રમાં.
आलोअंतो अ निदंतो, खिप्पंहणइ सुसावओ।
નિન્દા, ગહ અને આલોચના એ તો કર્મક્ષય માટેના રામબાણ ઉપાયો છે. માટે સ્વ આત્માની નિન્દા કરનાર, ગોં કરનાર અને પાપનો પશ્ચાતાપ કરનારો જીવ ઘણું જ અલ્પ સમયમાં સ્વ આત્મહિત સાધી લે છે.
કષાયયુક્ત અને ઈર્ષ્યાળુ નિરંતર દુઃખી
પૂ. ધર્મદાસગણું ઉપદેશમાળાશાસ્ત્રમાં ફરમાવે છે કે :
परपरिवायं गिएहइ, अट्ठमयविरल्लणेसया रमइ । डझ्झइय परसिरीए, सकसाओ दुख्खिओ निच्चं ॥
જે પારકા અવર્ણવાદ બોલતો રહે છે, જાતિ, કુળ, રૂપ, બળ, ઐશ્વર્યાદિ આઠે પ્રકારના મદથી જે મદોન્મત્ત બન્યો રહે છે, બીજાની સંપત્તિ જોઈને જે મનમાં બળતો. રહે છે અને જે કષાયુક્ત છે તે જીવ નિરંતર દુખિયો જાણવો. કેટલાકો બીજાની લક્ષ્મી જોઈને બળે તે એવા બળે કે તે દહાડે ટી. બી. લાગુ પડે પ્રમોદ ભાવનાનું સ્થાન