SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ મંગલાચરણ નિન્દા અને ગહ સ્વ આત્માની હોય પરની નહી હિંસા, અસત્ય, ચૌર્યકર્માદિ પાપને આચરનારા મનુષ્યો તો પાપીજ હોય છે. જ્યારે તેવા પાપીની પણ નિન્દા કરનારને મહાપાપી કહ્યો છે, કારણ કે પાપીની પણ નિન્દા કરનારો મનુષ્ય નિરર્થક પાપનો ભાગી બને છે. હા, પાપીને બદલે પાપને જ જો નિન્દવામાં અને તે પણ પોતાના પાપોને નિન્દવામાં આવે તો તે નિન્દા પણ મહાલાભનું કારણ થાય. નિન્દા એ મોટકું દૂષણ છે. પણ પરનિન્દાને બદલે સ્વનિન્દા જો કરવામાં આવે તો તે મોટામાં મોટો સગુણ છે. ગમે તેવો પાપી હોય તો પણ તે નિન્દાને પાત્ર નથી. તે ભાવદયાને પાત્ર જરૂર છે. નિન્દાને પાત્ર ચૌદ રાજલોકમાં જો કોઈ પણ હોય તો તે કેવળ પોતાનો આત્મા છે. અનંતા દોષો જ્યાં આપણામાં ભર્યા હોય ત્યાં બીજાની નિન્દા કરવાનો આપણને પરવાનો કોણે આપ્યો ? પ્રતિદિન પ્રતિક્રમણમાં આપણે બોલતા હોઈએ છીએ “નિર્દોષ ન મળ્યા હરિરસ ” મને લાગેલાં પાપકમોંની આત્મ સાક્ષીએ નિન્દા અને ગુરૂ સાક્ષીએ ગહ કરવાપૂર્વક પાપ કર્મોના ભારથી લદાયેલા મારા આત્માને ત્રિવિધ વોસિરાવું છું. એટલે તે તે પાપકમોને ત્રિવિધ સિરાવું છું. આત્માને સિરાવવાનો નથી હોતો, આત્માને તો જગાડવાનો હોય છે કે, પાપ કમોને વોસિરાવ્યા પછી ફરી પાછો તે પાપ કમોંના સેવનમાં પડી ન જાય. પ્રતિક્રમણમાં પોતાને લાગેલા દોષોની નિન્દા અને
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy