SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ મંગલાચરણ દેવ તે હલકા દેવ કહેવાય. માટે ધર્મક્રિયાનું વાસ્તવિક ફળ. મેળવવું હોય તો મનુષ્યોએ પરનિન્દાનો પરિત્યાગ કરી દેવો. નિન્દકને ઘણા કાળ પર્યંત ભવમાં ભટકવું પડે છે. દિક્ષિત અનેલા સાધુઓમાં પણ જો નિન્દાનો દોષ હોય તો તેઓ ગમે તેવુ' ઉગ્ર ચારિત્ર પાળતા હોવા છતાં ઘણા લાંબા કાળ પર્યંત સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. દૃ હાં ત કુસુમપુર નગરમાં કોઈ શ્રેષ્ઠી રહેતા હતા અને તેમને ત્યાં ઉગ્ર વિહાર કરીને આવેલા અતિ દુષ્કર તપ કરનારા અને ચારિત્રના પાલનમાં ખૂબ કડકાઈ રાખનારા સાધુઓ શેઠના મકાનમાં નીચેના ભાગમાં વસતીની યાચના કરીને ઉતર્યાં. અને શેઠના મકાનમાં ઉપરના ભાગમાં ચારિત્રની પાલનામાં શિથિલ છતાં ગુણાનુરાગી એવા કોઈ સાધુ ઉતર્યાં. નીચે ઉતરેલા સાધુ બહુ કડક એટલે હજારો લોકો તેમના દનાથે આવવા લાગ્યા અને વ્યાખ્યાન વાણીનો લાભ લેવા લાગ્યા. વ્યાખ્યાનમાં તો તત્ત્વજ્ઞાનની અને તપત્યાગવૈરાગ્યની ઊંચી ઊંચી વાતો સભળાવે અને વ્યાખ્યાન શિવાયના ટાઈમમાં જે કોઈ તેમની પાસે આવે તેની આગળ ઉપર ઉતરેલા સાધુની નિન્દા જ કર્યા કરે. શેઠને પણ કહે કે, “આને તમે કયાં ઉતારો આપ્યો ! એ તો આવો ને તેવો છે, એનામાં તપત્યાગ જેવું કાંઈ નથી.” કારણ કે તપ ત્યાગનો જાણે તેમણે જ ઠેકો રાખ્યો હતો. આજે પણ ઘણી જગ્યાએ આવી વિચારધારા સંભળાય છે. કેટલાક શ્રાવકોને પણ ખોળતાં
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy