SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ માંગલાચરણ નિન્દાની કુચાલ હોય ત્યાં તપયિા ફોક તપ અને સંયમયાત્રાનું વાસ્તવિક ફળ મેળવવું હોય તો સૌથી પહેલાં જીવે અનાદિની નબળી ચાલ બદલવી જોઈએ. જીવ કિયા અનુષ્ઠાનાદિ બધું કરે છે, પણ ચાલ બદલતો નથી. કોઈ મનુષ્ય દવા લે છે, ઔષધીનું સેવન કરે છે પણ કુપથ્યની ચાલ છોડતો નથી, તો દવા કે ઔષધી તેને શું ફાયદો કરશે ? કુપચ્ચનો ત્યાગ કરીને જો પથ્ય રાખે તો જ ઔષધી કે રસાયણના સેવનથી તેને ગુણ થાય. એવી પણ ભસ્મો આવે છે કે, તેનું સેવન કરનાર જો પશ્ચ ન રાખે તો આખા શરીરમાં ફૂટી નીકળે. તેવી રીતે ધર્મ કિયા કરનાર પણ નિન્દા, વિકથા અને ચુગલી ખાવા રૂપ અનાદિની નબળી ચાલ ન બદલે તો ક્રિયા વિકિયા રૂપે પરિણમે. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સોળમા પાપસ્થાનકની સજઝાયમાં લખ્યું છે કે : જેહને નિન્દાની ઢાલ છે તપ ક્રિયા તસ ફોક, દેવ કિલિબષિ તે ઉપજે એ કુલ રોકા રોક. - જે મનુષ્યમાં નિન્દાની કુચાલ છે તેની તપ ક્રિયા કોક છે. તે જીવ મૃત્યુને પામીને ભવાન્તરમાં કિલ્બિષિ દેવનિકાયમાં ઉત્પન્ન થાય છે જે હલકા દેત્ર કહેવાય છે. જેમ મનુષ્યોમાં ચંડાલ વગેરે હોય છે તેમ દેવનિકાયમાં કિલ્બિષિ
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy