________________
મંગલાચરણ
૧૪૩
ચોકી પહેરો ભરવાનો છે.
પરિણામની ધારા ટકી રહે તો સમજવું અર્ધું ટકી રહ્યું, અને અંદરની ધારા તૂટી ગઈ તો સમજવુ’ આપણો સુકૃતનો અમૃતકુંભજ ફૂટી ગયો ! અંદરની શ્રેણીમાં અમૃત છે અને ઝેર પણ છે, અંદરની પરિણામની ધારા અશુભ હોય તો સમજવું તેમાં હલાહલ ઝેર ભયુ` છે, અને ધારા અંદરની શુભ હોય અને પરપરાએ અંદરની શ્રેણીમાં શુદ્ધતા આવતી જાય તો સમજવું અમૃતસ ભર્યાં છે.
અંદરની ધારાને ટકાવી રાખનાર અને ઉત્તરોત્તર તેમાં શુદ્ધતા પ્રગટાવનાર આત્મા વિકાસને સાધી આત્માના પૂર્ણ પ્રકાશને પામે છે.
વેષભૂષામાં સાદાઈ અને વિચારોમાં ઉચ્ચતા રાખો
પાંચમો માર્ગાનુસારીનો ગુણ સુપ્રસિદ્ધદેશાચારનું પાલન કરવું તે છે. સુપ્રસિદ્ધ દેશાચાર એટલે શિષ્ટ પુરૂષોને સંમત અને ઘણા લાંખા કાળથી ચાલ્યો આવતો જે આચાર તે દેશાચાર કહી શકાય. પોતાની જ્ઞાતીના મનુષ્યો તેમજ દેશના મોટા ભાગના મનુષ્યો જેવો વેષ પરિધાન કરતા હોય તેવો જ વેષ ધારણ કરવો. આજે આ ભારત દેશમાં પણ ઘણા મનુષ્યો પરદેશી વેશભૂષાને અપનાવતા થઈ ગયા છે, તે ખરાબર નથી. તેવી વેશભૂષાનો મોહ રાખવાથી સ્વદેશની સંસ્કૃતિનું ગૌરવ