SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ મંગલાચરણ કાકડીની માફક ભક્ષણ કરી જઉં. આવા વિધ્વંસ પરિણામને લીધે તે તંદલીયો મત્સ્ય માત્ર બે ઘડીનાં આયુષ્યને પુરું કરીને સાતમી નરકમાં ચાલ્યો જાય છે. માટે વિધ્વંસ પરિણામ તે જ બંધનું મુખ્ય કારણ છે અને શુદ્ધ પરિણામ તે મોક્ષનું મુખ્ય કારણ છે. વ્યવહારનય ધર્મપ્રવૃત્તિ પર જોર આપે છે તો નિશ્ચયનય અંદરના પરિણામ પર વધારે જોર આપે છે ?' પોતાના પરિણામ બગડવા ન દેવા અને ગમે તેવા ઉપસર્ગાદિન પ્રસંગે પણ શુભ પરિણામ ટકાવી રાખવા એ જ ધાર્મિક જીવનનું મુખ્ય લક્ષણ છે, તેમજ કર્મનિર્જરાનું અને મોક્ષનું પણ તે જ મુખ્ય અંગ છે. ધર્મક્રિયાઓ અંદરમાં શુભ પરિણામ પ્રગટવામાં મુખ્ય પણે સાહાયક છે. નિશ્ચયથી અંદરનાં પરિણામ એ જ જીવનું મુખ્ય કાર્ય ક્ષેત્ર છે. કારણ કે પરિણામ આત્મામાં ઉત્પન્ન થાય છે અને પરિણામી આત્મા પોતે છે. અને પ્રતિ સમયે આત્મામાં પર્યાયો ઉત્પન્ન થતા હોવાથી પરિણમન પણ ચાલુ જ હોય છે માટે પરિણામ પરિણમી અને પરિણમન નિશ્ચયથી ત્રણે અભેદ છે. અંદરના પરિણામ કયાંય બગડી ન જાય તે માટે પોતે પોતાના ચોકીદાર બનવાનું છે. સંપત્તિના રક્ષણ માટે ચોકીદાર જેમ ચોકી પહેરો ભરે, તેમ પોતાના પરિણામને ટકાવી રાખવા પોતે જ પોતાના ચોકીદાર બનીને
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy