________________
મંગલાચરણ
૧૪૧.
આ સુત્રનું રહસ્ય આપણે હમણાંજ સમજાવી ગયાઆગળ વધીને ફરમાવે છે કે :
तदभावे बाह्यादल्प बंधभावादिति
જે અંદરનાં પરિણામ વિધ્વંસ ન હોય તો બાહ્ય હિંસાદિકથી બંધ પડે ખરો પણ અલ્પ બંધ પડે છે. અને તેમાં તીર્થકર ભગવાનના વચનનું પ્રમાણ છે. દાખલા તરીકે સ્વયંભૂરમણ સમુદ્રમાં એક હજાર જેજન શરીર પ્રમાણુવાળા. અસંસી મલ્યો હોય છે. અને તે નિરંતર સમુદ્રને ડોળનારા અને પૂર્વ કરોડના આયુષ્યવાળા હોય છે. તેટલા આયુષ્યમાં કેટલાય મત્સ્યોનું ભક્ષણ કર્યું હોય છે, છતાં તે મત્સ્ય મૃત્યુ. પામીને પહેલી નરકે જાય છે.
અને તંદ્દલીયો. મત્સ્ય કે જેનું આયુષ્ય ફક્ત અંતમુહૂર્ત પ્રમાણુ હોય છે. તેનું શરીર ચોખાના દાણા જેટલું જ હોય છે, અને તેટલા આયુષ્યના કાળમાં તેણે કોઈ પણ મત્સ્યનું ભક્ષણ કર્યું હોતું નથી. મહા માસ્યની આંખની પાંપણમાં તેનો જન્મ થયો હોય છે. હજાર જેજન શરીર પ્રમાણવાળા મહામસ્યના પેટમાં કેટલાય નાના મલ્યો જતા હોય છે અને કેટલાક પાછા જીવતાને જીવતા બહાર નીકળી જતા હોય છે. આંખની પાંપણમાં બેઠેલા તંદૂલીયા મત્સ્યના અધ્યવસાયો તે સમયે એટલા બધા વિધ્વંસ હોય છે કે, આ મહામસ્યની જગ્યાએ જે હું હોઉં તો આમાંથી એક પણ મત્સ્યને મારા પેટમાંથી જીવતો બહાર ન જવા દઉં અને બધાનું કાચી,