________________
૧૪૦
મંગલાચરણ
કે, શમ સંવેગાદિ સમ્યક્ત્વનાં પરિણામ એ શી ચીજ છે અને શાસ્ત્રોમાં તેનું કેટલું મહત્વ અંકાયેલુ છે. તેટલાથી ક્રિયાયોગનુ પણ કમ મહત્વ નથી. સમ્યક્ અને ક્રિયાયોગ બન્નેનો સુમેળ થાય એટલે સોનામાં સુગંધ જેવો સુમેળ કહેવાય.
सम्यक्त्व सहिताएव, शुद्धा दानादिका क्रिया ।
સમ્યક્ત્વ સહિતની દાનાદિક ક્રિયાઓને જ્ઞાનીઓએ શુદ્ધ ક્રિયા કહી છે. અને તેવી શુદ્ધ ક્રિયામાં રત ખનેલો જીવ ખીજા જીવોની અપેક્ષાએ અસંખ્યાત ગુણી અધિક નિર્જરા સાધતાં સાધતાં પરંપરાએ સર્વ કર્મોનો ક્ષય કરીને અક્ષય પદને પ્રાપ્ત કરી લે છે. સમ્યકૃત્વની વાત આગળ કરીને ધર્મ ક્રિયાઓ છોડી દેવાની હોતી નધી. સામાયિક પ્રતિક્રમણ સુપાત્રે દાન વ્રત પચ્ચક્ખાણ વગેરે ક્રિયા છોડી દેનારાઓની તો સ્થિતિ એવી કરૂણ થાય છે કે જે શબ્દોમાં પણ લાવી શકાય નહીં !
છે?
શુભ પરિણામ જેમ મોક્ષપદ પ્રાપ્તિમાં મુખ્ય કારણરૂપ તેમ અશુભ પરિણામ કંધમાં મુખ્ય કારણરૂપ છે. અને બાહ્ય પરિગ્રહાદિક અશુભ પરિણામના કારણભૂત હોવાથી કર્મબંધના પર પર કારણરૂપ છે. પૂજ્યપાદ આચાર્ય ભગવંત હરિભદ્રાચાર્યજી ધર્મબિંદુ શાસ્ત્રમાં કુરમાવે છે કે :
अशुभ परिणाम एवहीं प्रधानं, बंधकारणं तदंगतयातु बाह्यमिति