________________
૧૩૪
ભોગવવાં પડે છે કે ઘણા લાંબા કાળ સુધી તેનો કયાંય કિનારો કે આરો આવતો નથી, અને ફ્રી સદ્ગતિમાં જન્મ લેવાનો ઝટ વારો લાગતો નથી.
ઉત્તમ મધ્યમ અને અધમ
મોંગલાચરણ
राजदंडभयात्पापं,
नाचरत्यधमोजनः
1
परलोक भयात् मध्य स्वभावादेव चोत्तमः ॥
આ ગાથામાં માનવના ત્રણ પ્રકાર લખેલા છે. રાજદ’ડના ભયથી જેઓ પાપ ન કરતા હોય તેવાને અધમ કહ્યા અને પરલોકના ભયથી પાપ ન કરતા હોય તેવાને મધ્યમ કહ્યા અને સ્વભાવથી જ પાપ ન આચરતા હોય તેવાને ઉત્તમ કહ્યા છે. રાઈડના ભયથી જેઓ પાપ ન કરતા હોય તેવાને એમ લાગે કે પોલીસ અધિકારી વગેરે અમલદારો હમણાં આપણા હાથમાં છે, બધાનાં ખીસ્સાં તર કરેલાં છે, હમણાં આપણું કોઈ નામ લે તેમ નથી. એટલે પછી તેવા મનુષ્યો નિર્ભિક મનીને પાપ આચરતા હોય છે. કારણ કે તેમને પાપનો ભય ન હતો, જે ભય હતો તે રાજદ'ડનો હતો. રાજ્યમાં પણ સડો આવા મનુષ્યોથી પેસે છે. દુનિયામાં મોટે ભાગે વાતાવરણ એટલુ બધુ બગડી ગયું છે કે, લાંચ કે રુશવત વિના કોઈ કામ થતું નથી. તેમાં દોષિત કોને ઠરાવવા ! એ સમજાતું નથી ! વિચારવામાં આવે તો અધિકારી કે વ્યાપારી અને દોષિત છે. અધિકારી કે વ્યાપારી બન્ને પ્રમાણિક હોય ત્યાં આવો સડો પેસવાનો કોઈ સવાલ જ ઊભો