________________
મંગલાચરણ
શકતા નથી. એટલે પછી તેવા જીવો કરણીના વાસ્તવિક ળને પામી શકતા નથી. પગમાં કાંટો કે કાચ વાગી જાય તે તો દ્રવ્ય શલ્ય છે અને તે ન નીકળે ત્યાં સુધી પીડા કરે, પણુ મિથ્યાત્વ શલ્ય, નિયાણુ શલ્ય અથવા માયા શલ્ય એ ભાવશલ્ય છે અને તે ભવોભવ માટે દુઃખદાયક છે. માટે તે શલ્યના પાપથી અથવા અઢારે પાપસ્થાનકોથી ડરતા રહેવું તે મહાન સદ્ગુણ છે. પાપથી ડરતા રહેવું તેમાં લેશ પણુ કાયરતા નથી. કાયરતા પાપ આચરવામાં છે.
૧૩૩
!
सोहंजहा खुड्डुमिगाचरंता दूरेचरंति परिसंकमाणा । एवं तु महावि समिक्व धम्मं, दूरेणपावं परिवज्जएज्जा ।।
સિંહના વસવાટવાળા જંગલના પ્રદેશમાં હરણ પણ વસતાં હોય છે, અને તે હરણ જં ગલમાં ચારો ચરવાની ઝરણાનાં પાણી પીવા વગેરેની બધી પ્રવૃત્તિ કરતાં હોય છે, પણ મનમાં સિંહનો ભય રાખી ને અને જ્યાં સિંહ વિચરતા હોય તેનાથી દૂરદૂરના પ્રદેશમાં તે વિચરતાં હોય છે. તેવીજ રીતે ધર્મોના રહસ્યને જાણનારા બુદ્ધિમાન પુરૂષો પણ હૃદયમાં પાપનો ડર રાખીને વ્યાપાર વાણિજ્યાદિની બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે. આટલી પણ યોગ્યતા માનવીમાં આવી જાય તો તેને કનો બંધ પડે પણ તીવ્ર ખંધ ન પડે. અને વજાના લેપ જેવાં કર્મો તે ન આંધે. જ્યારે મનમાં પાપનો ડર રાખ્યા વિના એધડકપણે પાપ આચરવાથી કનો અંધ કયારેક તીવ્ર તો ઠીક પણ તીવ્રતર અને તીવ્રતમ પડી જાય છે અને તે કર્મ ઉદયમાં આવતાં દુ:ખ પણ એવાં તીવ્ર
'