SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ મૉંગલાચરણ બનાવવામાં આવે તો ઉત્તરોત્તર તેની ગુણશ્રેણી વૃદ્ધિને જ પામતી રહેવાની. નિઃશલ્ય, નિઃકષાય અને નિવૈર બનેલો આત્મા થોડું પણ તપ કરશે અને થોડી પણ ધર્મ પ્રવૃત્તિ કરશે છતાં તેનુ ફળ તેને અનંત ગણું મળશે. અને મનમાં શલ્ય રાખીને લક્ષ્મણા સાધ્વીની જેમ ગમેતેટલું દુષ્કર તપ કરશે છતાં તે અફળ જશે. સૂયગડાંગ સૂત્રમાં તો ત્યાં સુધી લખ્યુ છે કે : ૧૩૨ जइवियणिगसे किसेचरे, जइ वियभुंजिय मासमंतसो । जेइहमायाइमिज्जइ, आगंतागम्भाय णंसतो 11 એટલે કે નગ્ન શરીરે જંગલમાં એકાકી રહેતો હોય, માસક્ષમણને પારણે અન્નગ્રહણ કરતો હોય, છતાં મનમાં જો માયા શલ્ય રહી ગયેલું હોય અર્થાત મનમાં કોઈ પણ પ્રકારનું શલ્ય રાખી ગમે તેટલું દુષ્કર તપ કરતો હોય, છતાં તેને અનંતીવાર ગર્ભાવાસમાં જવું પડશે. અને મનમાંથી શલ્ય કાઢીને તેવું દુષ્કર તપ અથવા પોતાની શક્તિ અનુસાર પણ જો કરવામાં આવે તો જીવ તે જ ભવે વા ત્રીજે ભવે અથવા છેવટે સાતમે કે આઠમે ભવે જન્મમરણના દુઃખોનો અંત કરી નાખે છે. ભાવશલ્ય ભવોભવ માટે દુઃખદાયક શલ્યનું પાપ એ અતિ ભયંકર પાપ છે. ઘરબાર છોડી દેનારા પણ કેટલીકવાર અંદરના શલ્યનો ત્યાગ કરી
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy