SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ ૧૩૧ કુંભારને કયારેક ગધેડાની દયા આવે તેટલી પણ માનવીને સ્વ આત્માની દયા આવતી નથી કુંભાર જેવા કુંભારને ક્યારેક ગધેડા ઉપર બહુ વધારે પડતો ભાર લદાઈ ગયો હોય અને અતિ ભારને લીધે ગધેડો રસ્તામાં વારંવાર પડી આખડી જતો હોય તો દયા આવી જાય છે. અને તેને અફસોસ પણ થાય કે અરે મેં આ બિચારા અબોલ પ્રાણી ઉપર આટલો બધો ભાર લાદયો તે ઠીક ન કર્યું. જ્યારે આજે ભાવ દયાના સ્વરૂપથી અનભિજ્ઞ માનવીને તેટલી પણ સ્વ આત્માની દયા નથી ! તેને એ રીતનો અફસોસ પણ નથી થતો કે અરર ? હું મારા આત્માને પ્રતિ સમયે કર્મના અસહ્ય ભારથી લાદી રહ્યો છું, પણ એ કર્મોના વિપાક ભોગવવાનો વખત આવશે ત્યારે મારી હાલત શું થશે ? - પાપ આચરવામાં જીવે ભૂલ માત્ર બે ઘડીની કરી હોય, પણ તેના વિપાક હજારો લાખો ને કરોડો વર્ષ સુધી અને કેટલીકવાર ભાવોનાભવો સુધી જીવને ભોગવવા પડે છે. માટે પાપ આચરવાની તો વાત બાજુ પર રહી, પણ જીવે જો સ્વ હિત સાધવું હોય તો તેનો પડછાયો પણ લેવા જેવો નથી. નિશલ્ય, નિકષાય અને નિર્વેર આત્માની ગુણશ્રેણી ઉત્તરોત્તર વૃદ્ધિને પામે આત્માને નિષ્પાપ, નિઃશલ્ય, નિવૈર અને નિઃસંગ આk
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy