SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ મોંગલાચરણ રાખજે કે ભોગ એ અતે રોગ છે. ભોગ સુખમાં એટલોબધો આસક્ત નહીં બનતો કે કયાંક ભોગ તનેજ ભરખી જાય ! અને તેટલી ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સંયમ ધર્મોની મર્યાદા જાળવજે. આઠમ, પાખી, એકાદશી, ખીજ, પાંચમ વગેરે તિથીના દિવસોમાં અને પ્રત્યેક અષ્ટાન્ડિકાપર્વના દિવસોમાં અને ખાસ કરીને કરીને શાશ્વતિઓની અને પર્યુષણુપ જેવા મહાન પર્વના દિવસોમાં અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરજે. પરસ્ત્રીનો સ’પૂર્ણ ત્યાગ રાખવાપૂર્વક સ્વદારા સંતોષવ્રતનુ આજીવન પાલન કરજે. આવી શિખામણ વડિલો તરફ્થી મળે તો યુવાન વર્ગોંમાં ઘણા ઊંચા સંસ્કારો પડે અને માનવ જીવનને જીવવાપૂર્વક જતે દહાડે તેઓ દિવ્ય જીવનને પણ જીવતા થઈ જાય. ધર્મના મહાન કાર્યો કરે તે મહાજન પ્રત્યેક મનુષ્યને બે હાથ હોય અને લગ્ન પ્રસંગે હસ્તમિલાપ થાય એટલે ચાર હાથ ભેગા થાય. ચાર હાથ થયા એટલે તે ચતુર્ભુજ કહેવાય ? એટલે કે લગ્ન થયા પછી જો સંયમી અને અને ગૃહસ્થાશ્રમમાં પણ સંયમધની મર્યાદા જાળવે તો મહામાનવ બની શકે. અને ધર્મના મહાન કાર્યો કરે તો મહાજન બની શકે. કેવળ વિષય ભોગમાં જ આસક્ત અને અને રંગ રાગના વાતાવરણમાં જ જો ગુલતાન બની જાય તો લગ્નજીવન પહેલાં પોતાના બે હાથ ને એ પગ હતા, હવે પતિ-પત્ની બે ભેગા થાય એટલે ચાર હાથ ને ચાર પગ થયા. ચાર પગ જાનવરને હોય. આ ' : બન્ને પણ
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy