SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ રંગરાગમાં એવા ગુલતાન અન્યા કે ભગવાનનાં ગીતગાનને પણ ભૂલી ગયા એટલે સીધા જાનવરની કક્ષામાં મૂકાઈ ગયા. માટે ગૃહસ્થાશ્રમમાં પણ સંમયધમની મર્યાદા રાખનાર પોતાના ગૃહસ્થ જીવનને દીપાવી શકે છે. અને તેવા મનુષ્યો પર પરાએ ઉચ્ચ શ્રાવકજીવનની ભૂમિકાએ પહોંચી શકે છે. કુલીન સ્ત્રીને લીધે ગૃહસ્થાશ્રમમાં મળતા અનેક ધાર્મિક લાભો ૧૧૯ ગૃહસ્થો માટે શુદ્ધ કુલીન સ્ત્રીનો લાભ તે વિવાહનું ફળ અને તેના લાભનાં ફળ એટલે સ`સ્કારી પુત્ર-પુત્રી, ચિત્તની સ્વસ્થતા, ઘરના કામકાજ અંગેની દેખભાળ, જૈન કુળના ઉત્તમ આચારોનું પાલન, દેવગુરૂ સાધર્મિક વગેરેની ભક્તિનો અપૂર્વ લાભ અતિથિ અને પોતાના સગાવહાલા મધુમિત્ર આદિનો. રૂડી રીતે સત્કાર, આ કુલીન અને શીલશરણાગરથી અલંકૃત કલત્રનાં ફળો છે. ઘરમાં ધર્મના સંસ્કારવાળી સ્ત્રી હોય તો સાધર્મિક ભક્તિ સુપાત્રે દાન વગેરે અપૂર્વ લાભો લઈ શકાય. ઘરનો માલિક દસ વીસ સાધર્મિકોને નિમંત્રણ આપીને ઘરે તેડી આવે અને ઘરની સ્ત્રી જ મોઢું" ખગાડે કે, તમે તો દરરોજ એ પાંચને ઘરે તેડતા જ આવો છો, મારે કેટલાનું કરવું ? હું તો ઘરનાનુ પણ માંડ કરી શકું છું ને તમે વળી ઉપરથી દરરોજ એ પાંચને ઉપાડી આવો છો ? આવી રીતે પત્ની છણકો કરે અને સાથ ન આપે તો તેવા અપૂર્વ લાભો એકલા પુરૂષથી શી રીતે લઈ શકાય ? પત્ની સંસ્કારી હોય અને ધર્મની ભાવનાવાળી હોય
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy