SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ ૧૧૭ સહધર્મચારિણી પોતાની ધર્મપત્નીને વિષયભોગનું રમકડું માની લેવું તે ઘોર અજ્ઞાન વૈવાહિક જીવનમાં કેવળ વિષયભોગનોજ ધ્યેય રાખનાર નર, નર મટીને જાનવર બને છે. તેવા મનુષ્યો નારીને નારાયણ સમજવાને બદલે વિષય ભોગનું રમકડું માની બેસે છે. જ્યારે નારી જે સહધર્મચારિણી કહેવાય તેને વિષયભોગનું રમકડું માની લેવું તે તો મહા ભયંકર ઘોર અજ્ઞાન કહેવાય. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ બન્નેએ ધાર્મિક જીવનમાં અને પરોપકારાદિના શુભ કાર્યો કરવામાં એકએકને સાથ પુરાવવો જોઈએ. જીવ દયાનું પાલન, સાધર્મિક વાત્સલ્ય, તીર્થયાત્રા, સુપાત્ર દાન, જિનબિંબ પ્રતિષ્ઠા મહોત્સવ, ગરીબોનો ઉદ્ધાર, અનુકંપા વગેરે મહાન શુભ કાર્યો અને એ સાથે મળીને કરવા જોઈએ. અને મળેલા મોંઘેરા મનુષ્ય જન્મને સફળ બનાવવા અંગેના બન્નેએ અહર્નિશ મનોરથો સેવવા જોઈએ. - ગૃહસ્થાશ્રમમાં પણ સંયમધર્મની મર્યાદા જાળવવાની હોય ભોગાવલીના ઉદયે ભોગ ભોગવવા પડે તો અનાસક્ત ભાવે ભોગવવા જોઈએ. તેમાં વધારે પડતી આસક્તિ નહીં રાખવી જોઈએ. ભોગ એ અંતે રોગ એ આદર્શ ક્યારે પણ ભુલાવવો ન જોઈએ. પુત્રપૌત્રાદિનાં તેના વડિલો લગ્ન કરી જાણે છે, પણ સાથોસાથ તેઓ એ રીતની શિખામણ આપતા નથી કે, સંસારના બંધનમાં મેં તને નાખ્યો છે, પણ ખ્યાલ
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy