SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ - જિનેશ્વર ભગવાનના દર્શનમાં બાકીના બધા દર્શનો સમાઈ જાય છે, જ્યારે જિનેશ્વર ભગવાનના દર્શનની અન્ય દર્શનોમાં ભજના છે. સાગરમાં બધી સરિતાઓ સમાય છે પણ સરિતામાં સાગરની ભજના છે ! જૈન દર્શન એ સર્વાંગિક અને સંપૂર્ણ દર્શન છે. તેમાં નયવાદને લગતા દરેક દૃષ્ટિબિંદુઓનો સમાવેશ છે. વેદાંત એકાંત સંગ્રહનયની દૃષ્ટિને જ માન્ય રાખે છે, બૌદ્ધ એકાંત પર્યાય દૃષ્ટિને જ માન્ય રાખે છે, વૈશેષિક વગેરે એકાંત નગમ દૃષ્ટિને જ માન્ય રાખે છે. જોકે વૈશેષિક દર્શન વાળા સામાન્ય અને વિશેષ ઉભયને માન્ય રાખે છે પણ બન્નેને પરસ્પર નિરપેક્ષ માને છે. જ્યારે જૈન દર્શન પ્રત્યેક નયદૃષ્ટિને સાપેક્ષપણે માન્ય રાખીને સંગ્રહ નયની દૃષ્ટિએ આત્મા એક છે, તો વ્યવહાર નયની દૃષ્ટિએ આત્મા અનેક પણ છે એમ માને છે. જાતિથી આત્મા એક છે, તો વ્યક્તિથી અનેક છે. દ્રવ્ય દૃષ્ટિએ આત્મા નિત્ય છે, તો નરનારકાદિ પર્યાયો પલટાતા હોવાથી આત્મા અનિત્ય પણ છે. આ રીતે જૈન દર્શન નયવાદને દૃષ્ટિ સમક્ષ રાખીને સાપેક્ષ દૃષ્ટિએ વસ્તુ સ્વરૂપની પ્રરૂપણ કરે છે. આને જ જૈનીઝમમાં વસ્તુવિજ્ઞાનસાર કહેવામાં આવે છે. કષાયયુક્ત જીવને પ્રતિસમયે નવા કર્મોનો બંધ પ્રશમરતિ શાસ્ત્રમાં પૂ. ઉમાસ્વાતિ ફરમાવે છે કેઃ कालं विनास्तिकाया, जीवमृतेचाप्यकतृणि । કાળવિના બાકીના બધા દ્રવ્યો અસ્તિકાય સ્વરૂપ છે કારણ કે ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોમાં પ્રદેશોનો સમૂહ હોય
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy