________________
મંગલાચરણ
અનેકાંત એ "
સિદ્ધાંતો છે તે
જીમાં સ્યાદવા
કરવો, એ તો વસ્તુસ્વરૂપને ઘોર અન્યાય કરવા જેવો છે. વસ્તુને વસ્તુસ્વરૂપે માન્યાવિના સમ્યકત્વ પ્રાપ્તિ પણ દુર્લભ છે, તે પછી સ્વરૂપ પ્રાપ્તિની વાત કયાં રહી ?
સવગિક અને સંપૂર્ણ દર્શન ?
નયજ્ઞાન પણ આંશિક જ્ઞાન છે, જ્યારે પ્રમાણે એ પદાર્થનું પૂર્ણ જ્ઞાન છે. પૂ. ઉમાસ્વાતિ તત્ત્વાર્થસૂત્રમાં ફરમાવે છે કે, કાળ નામ: પ્રમાણ અને નયથી પદાર્થનું વાસ્તવિક જ્ઞાન થાય છે. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત એ ત્રણે જૈન દર્શનના મૌલિક સિદ્ધાંતો છે. તેમાં અનેકાંતને જ બીજા શબ્દોમાં સ્વાદુવાદ કહેવામાં આવે છે.
સ્યાદવાદ સમગ્ર સંસારને એવી અપૂર્વ શિક્ષા આપે છે કે, તમે તમારા દૃષ્ટિકોણને સત્ય સમજો પણ જે કોઈ દ્રષ્ટિકોણ તમને વિરોધી પ્રતીત થતા હોય, તેમાં પણ જે સત્યના અંશો રહેલા છે, તેમને પણ સમજવાનો પ્રયત્ન કરો !
અને જ્યાં જ્યાં સત્યના અંશો જણાય ત્યાં ત્યાં એમ જ સમજે કે, સાદ્વાદરૂપી સમુદ્રના જ આ છાંટા ઉડેલા છે. એ જ વાત પર પૂ. આનંદઘનજી મહારાજ પણ વેધક પ્રકાશ પાડી રહ્યા છે કે :
જિનવરમાં સઘળાં દર્શન છે : :
દર્શન જિનવર ભજના, - સાયરમાં સઘળી તટિની છે
તટિની સાયર ભજના,