SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ અને ધર્મક્રિયાઓની પ્રભુતા વધે છે અને જૈનધર્મની પણ લોકહૃદયમાં ભૂરી ભૂરી અનુમોદના થાય. આજે ભણતર ખૂબ વધ્યું છે પણ સાથે જીવનનું ધડતર રહ્યું નથી. શિક્ષણ આપવાની સાથે વિનય વિવેકના સસ્કાર જો રેડવામાં આવે તો જ જીવનનું ઘડતર થઈ શકે. ખરી રીતે સંસ્કારને પોષણ આપે તે જ શિક્ષણુ કહેવાય. શરૂઆતથી વિદ્યાર્થીઓમાં વિનય વિવેકના ઉચ્ચ સંસ્કાર પડ્યા હોય તો તે આગળ જતાં જીવનમાં ખીલી ઊઠે એટલે કે નવપલ્લવિત અને. આજે વાત વાતમાં છોકરાઓ માબાપની સામા થઈ જાય છે, કેટલીકવાર તેમનું મોઢું તોડી લેતા હોય છે, દેવ ગુરૂ અને ધર્મ પ્રતિ પણ તેમનામાં આસ્થા રહેતી નથી તેનુ કારણ એ જ છે કે તેમને ગલથુથીમાં ધના જે સંસ્કાર મળવા જોઈએ તે મલ્યા નથી. તેમાં તેમના માતાપિતા પણ કેટલેક અંશે દોષિત છે અને આગળ જતાં તેનાં માઠાં પરિણામો માતાપિતા વગેરે વડીલોને ભોગવવા પણ પડે છે. સંતાનને જન્મ આપવા માત્રથી અને તેનો ઉછેર્ કરવા માત્રથી માતાપિતાનું કર્તવ્ય પૂરૂં થઈ જતું નથી. બચપણથી જ માળકોમાં ઉચ્ચ સંસ્કારો નાખવા એ માતાપિતાનુ મુખ્ય કતવ્ય રહે છે. સો શિક્ષકો મળીને જે સસ્કાર આપી શકતા નથી તે 'સ્કાર એક જનેતા આપી શકે છે. માતાની ગોદ એ જ બચ્ચાઓની સાચી SCHOOL નિશાળ છે એટલા માટે નીતિકારે બચ્ચાઓને
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy