SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ ઉપોદ્ઘાત નાગપુર ક્ષેત્રમાં સ. ૨૦૨૬ અને સ. ૨૦૩૧ એમ એ ચાતુર્માંસ કર્યાં. પહેલું ચાતુર્માસ સમ્મેતશિખરજી મહાતીર્થીની યાત્રા નિમિત્તે તે તરફ જવાના ધ્યેયથી કરેલ. અને ખીજું ચાતુર્માંસ પૂદેશના તીર્થોની યાત્રા કરીને પાછા વળતાં કરેલ. પહેલા ચાતુર્માંસમાં “શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમ” ગ્રંથનું સભામાં વાંચન કરેલ અને ખીજ ચાતુર્માસમાં “શ્રી યોગશાસ્ત્ર” મહાગ્રંથ વાંચન કરેલ. યોગશાસ્ત્રના પહેલા પ્રકાશમાં માર્ગાનુસારીના પાંત્રીસ ખોલપરની વ્યાખ્યા લગભગ એક મહિના પર્યંત ચાલી. ગૃહસ્થોના સામાન્ય ધમની તેમાં વ્યાખ્યા હોવાથી શ્રોતાઓને તેમાં ખૂબ રસ પડ્યો અને માર્ગાનુસારીના ખોલની વ્યાખ્યામાં એ વાતપર ખૂબ જોર દેવામાં આવતું હતું કે જીવનના ઘડતર માટે આ ગુણો અત્યંત ઉપયોગી છે. નીતિ ન્યાય વગેરે માર્ગાનુસારીના પાયાના ગુણો છે. પાયો મજબૂત હોય તો તેનીપર ઈમારત પણ મજબૂત થાય તેમ ધાર્મિક જીવનના પાયામાં નીતિ ન્યાય વગેરેના ગુણો હોય તો વ્રત પચ્ચક્ખ્ખણાદિની ઈમારત પણ ખૂબ મજબૂત થાય. મનુષ્યો ભલે વ્રતો કરતા હોય ધાર્મિક ક્રિયાઓ કરતા હોય, પણ તેમનામાં નીતિ ન્યાય વગેરેના ગુણો ન હોય. તો દુનિયામાં તેમના નિમિત્તે ધની હેલના થાય છે પણ પ્રભાવના થતી નથી. પોતાના નિમિત્તો, ધર્મક્રિયાઓની લઘુતા થાય એ પણ મોટામાં મોટો દોષ છે. ગૃહસ્થો. વ્યાપાર વાણુિજ્યના ક્ષેત્રમાં પ્રામાણિકતાથી વતતા હોય તો ધર્મ શાસન
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy