________________
૯૦
શાસ્ત્રમાં ફરમાવે છે કે
મંગલાચરણ
शक्यमप्रमत्तेन ।
एतद्दोषमहासञ्चयजालं प्रशमस्थितेन, धनमप्युद्वेष्टयितुं निरवशेषम् ।।
રાગન્દેષાદિ દોષોના સંચયની મહાજાળ જે અત્યંત નિખિડમાં નિખિડ હોવા છતાં, અપ્રમત્તતાના શિખરે પહોંચેલા અને પ્રશમભાવમાં સ્થિત બનેલા મહાપુરૂષો, તે જાળનો મૂળમાંથી ઉચ્છેદ કરી નાખે છે. તેનો ઉચ્છેદ થતાં ભવપરંપરાનો પણ ઉચ્છેદ થઈ જાય છે.
તપસ ચમના માર્ગમાં પરાક્રમ કર્યા વિના ક ખપતા નથી
8
જીવની સાથે કનો યોગ અનાદિથી હોવા છતાં જૈન દનની આ મૌલિક પ્રરૂપણા છે કે, અનાદિ કર્મીયોગનો પણ અંત કરીને જીવ સાદિ અનંતમે ભાગે સિદ્ધ થઈ શકે છે, અને જન્મમરણના ફેરામાંથી કાયમી મુક્તિ મેળવી શકે છે. ખાણમાંથી સુવર્ણ પહેલ વહેલુ' મહાર નીકળે ત્યારે તેની સાથે પાષાણુરૂપ પરદ્રવ્યનો અથવા મૃત્તિકારૂપ પરદ્રવ્યનો અનાદિથી યોગ હોય છે, છતાં તેજામાદિ દ્રવ્યોના પ્રયોગ વડે તે અનાદિના યોગનો પણ વિયોગ સાધી શકાય છે, અને મૃત્તિકારૂપ પરદ્રવ્યથી સુવર્ણને અલગ પાડી શકાય છે. તેવી રીતે સમ્યગજ્ઞાન ક્રિયાના પ્રયોગ વડે અનાદિ કયોગનો પણુ વિયોગ સાધીને આત્માને સિદ્ધ નિરંજન બનાવી શકાય છે.