SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ભગલાચરણુ પોતાના સ્વરૂપમાંજ સ્થિત રહે, તે જીવ માટે અત્યંત હિતાવહ છે. જીવ પોતાના સમ્યગ્જ્ઞાન દર્શનાદિ શુદ્ધ સ્વભાવમાં સ્થિત રહે, તેમાં તો જીવનું પ્રતિક્ષણે પ્રતિ સમયે કોટી કલ્યાણ છે અને આખરે પદ્મ નિર્વાણ છે. ભવ પર પરાના ઉચ્છેદનો અમોધ ઉપાય ૮૯ આત્મા અનાદિથી છે. આત્મા સાથે કર્મનો યોગ પણ અનાદિથી છે, અને સંસાર પણ જીવને અનાદિથી વળગેલો છે. ક`મય સંસાર છે અને સંસારના નિમિત્તે જીવને પુનઃ પુનઃ અનંતાનંત દુઃખો ભોગવવાં પડે છે. માટે આ ભવપરંપરાના મૂળ કારણભૂત જો કોઈ હોય, તો તે રાગ ને દ્વેષ છે. આ વાત પ્રશમરતિ શાસ્ત્રમાં પૂજ્યપાદ દસ પૂર્વાંધર ઉમાસ્વાતિજીએ કરમાયેલી છે કે : कर्ममय संसार, संसारनिमित्तकं पुनः र्दुखम् । तस्माद् रागद्वेषादयस्तु भवसन्ततेर्मूलम् ॥ રાગને દ્વેષ ભવપરંપરાના મૂળ હેતુ એટલા માટે છે કે, તેના કારણે જીવને કર્મ બંધ થાય છે, અને બંધને કારણે જન્મમરણની પરપરા ઊભી થાય છે. અને જન્મમરણને કારણે દુઃખની પરંપરા સર્જાય છે. માટે વ્યાધિનો મૂળમાંથી ક્ષય કરવો હોય, તો સૌથી પહેલાં રાગદેષનો મૂળમાંથી ઉચ્છેદ કરવો. મહા ભયંકર દોષોના સંચયની જે જાળ છે, તેના ઉચ્છેદ માટેનો ઉપાય પૂ. ઉમાસ્વાતિજી પ્રશમરતિ
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy