SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ નથી એટલે પછી તેવા મનુષ્યો પ્રતિ મનમાં દુર્બાન એવું થઈ જાય કે, આવા માણસોને સરકારે ઠેકાણે કરી નાંખવા જોઈએ. અથવા આપણુ પાસે પિસ્તોલ, તલવાર, ભાલાના પરવાના છે, આવાઓને આપણે પહોંચી વળશું. આવી રીતે મનમાં વધ કરવા સુધીના દુષ્ટ વિચારો આવી જાય. તેને પરિગ્રહ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કહી શકાય. શ્રાવક અપરાધી સામે પગલાં લઈ શકે, પણ પહેલાંથી જે પરિગ્રહનું પરિમાણુ કરી લીધેલું હોય, તો આટલી હદે વેશ્યા ન બગડે. પરિગ્રહની તીવ્ર મૂછને લીધે અનેકો સાથે વેર બંધાય અને પિતા પુત્રના સબંધો પણ બગડે પરિગ્રહના સંરક્ષણની વાત એવી છે કે, તેમાંથી કયારેક પોતાના સગા ભાઈ અથવા પોતાના પુત્ર પ્રતિ પણ લેશ્યા બગડી જાય છે. પરિગ્રહની તીવ્ર લોભદશાને લીધે ભાઈભાઈ વચ્ચે તો વૈમનસ્ય ઘણી જગ્યાએ જોવામાં આવે છે, પણ પોતાનો છોકરો પણ પૈસા જેમતેમ વેડફી નાખતો હોય, પૈસાનો બેફામ વ્યય કરતો હોય તો તેના પ્રતિ પણ કયારેક રૌદ્ર પરિણામ આવી જાય છે. અને પિતા પણ તીવ્ર લોભ દશાવાળો હોય અને દ્રવ્ય ઉપર પોતાનો જ કજો કરીને બેસી ગયો હોય તો છોકરાંઓની પોતાના પિતા પ્રતિ પણ લેશ્યા બગડ્યા વિના રહેતી નથી. ધનના લોભે પિતાપુત્ર અને ભાઈભાઈ વચ્ચે પણ ઝગડા એવા થઈ જાય છે કે, કેટલીકવાર બોલે વ્યવહાર રહેતા નથી.
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy