SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ માનવીને કેટલાય કોઈ વેઠવા પડે છે, અને અનેકોની તાબેદારી. પણ ઉઠાવવી પડે છે. પિતાપુત્ર અને ભાઈભાઈ વચ્ચે પણ કલેશ તેમાંથી જન્મે છે. બધા સુમધુર સબંધો ઉપર પાણું ફેરવનાર પૈસો છે. ઉપાર્જન કરેલા અર્થનું રક્ષણ કરવામાં દુખ છે. ભોગને રોગનો ભય, કાયાનો કાળનો ભય, યૌવનને બુઢાપાનો ભય, વિદ્યાને વાદનો ભય, કુલને કલંકનો ભય, આ બધાને તો એકએકનો ભય જ્યારે વિત્તને તો રાજ્યનો ભય, ચોરનો ભય, અગ્નિનો ભય, આ રીતે વિત્ત ઉપર તો ત્રિપાંખીયો ધસારો છે. તેમાં આ કાળમાં તો સરકારે પણ ઉપાડો કેવો લીધો છે, તે સૌ સમજી શકો છો. માટે ઉપાર્જન કરેલા દ્રવ્યનું રક્ષણ કરવામાંએ મહા દુઃખ છે. ચોરીનો જે વધારે પડતો ઉપદ્રવ રહેતો હોય, તો તેમાંથી કયારેક રૌદ્રધ્યાન પણ થઈ જાય. જેને પરિગ્રહ સંરક્ષણાનુબંધી, રૌદ્રધ્યાન કહેવામાં આવે છે. પરિગ્રહના સંરક્ષણના વિચારોમાંથી મન કયારેક રૌદ્રધ્યાનમાં ચડી જાય ધન ધાન્યાદિના સંરક્ષણના વિષયમાં મન રાતને દિવસ એક તાન બન્યું રહે, અને તેમાં ધનના માલિકને કયાંકથી ગંધ આવે કે, અમુક માણસો મારા ધનનું અપહરણ કરવાની પેરવી કરી રહ્યા છે, ચૌર્ય કર્મ જેવા દુષ્કર્મોને કરનારા અમુક માણસોએ મને બરોબરનો નજરમાં રાખેલો છે, કયારે એ લોકો મારા ધન પર ત્રાટકી પડશે કાંઈ કલ્પી શકાતું
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy