SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ: સૂયગડાંગ સૂત્રમાં તો ત્યાં સુધી ફરમાવવામાં આવ્યું सयंतिवायए पाणे, अदुवाऽन्नेहि घायए । हणंतं वाऽणुजाणाइ, वेरं वड्डइ अप्पणो ॥ પરિગ્રહ સંરક્ષણની બુદ્ધિમાંથી માનવીના અધ્યવસાય. કેટલી હદે બગડી જાય છે, તેનું આબેહૂબ ચિત્ર આ ગાથામાં દોરાએલું છે. પોતાની તીવ્ર લોભદશાને લીધે અનેક માર્ગેથી મનુષ્યો અર્થાર્જન કરતા હોય છે, અને ઉપાર્જન કરેલા ધનનું રક્ષણ કરવાના પણ અનેક ઉપાયો લેતા હોય છે. તેના અથર્જનનાં અને સંરક્ષણના માર્ગમાં ઉપદ્રવ કરનારા મનુષ્યોના પ્રાણનો સ્વયં પોતે ઘાત કરી નાખે છે. અથવા બીજા મનુષ્યો પાસે ઘાત કરાવી નખાવે છે. અથવા તેવા મનુષ્યોને જે કોઈ બીજા હણી નાખતા હોય તેને અનુમોદન આપીને તેવા મનુષ્યો અનેકો સાથે વેર બાંધતા હોય છે. અને તે વેરની. પરંપરા પછી ભાવોના ભવો સુધી ચાલે છે. વધ એ વેરનું કારણ બને છે, અને વધનું કારણ પરિગ્રહ બને છે. કોણકે પોતાના પિતા શ્રેણક મહારાજાને રાજ્ય તરફના તીવ્ર લોભને લીધે કેદખાનામાં નાખ્યા હતા ! અને પોતાના તાત જેવા તાતને તીવ્રતિતીવ્ર દુઃખો આપ્યાં હતા. જેનું શાસ્ત્રોમાં વર્ણન વાંચતાં પણ હૃદય કંપી ઊઠે છે. ભારત અને બાહુબલી બને દેવાધિદેવ તીર્થકરના પુત્રો અને તભવ મુક્તિગામી હોવા છતાં બન્ને વચ્ચે રાજ્યના લોભે બાર વર્ષ સુધી સંગ્રામ. ચાલ્યો છે, અને છેલ્લે એ મહાયુદ્ધની પતાવટ કરાવવા ઈન્દ્ર,
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy