________________
મંગલાચરણ
પરિપૂર્ણતાએ પહોંચેલા હોય છે. સંપૂર્ણ વીતરાગતા આવ્યા વિના કોઈ પણ આત્માઓ જ્ઞાન ને દનની પૂર્ણતાને પામી શકતા નથી. વીતરાગને રાગ કે દ્વેષનુ કોઈ કારણ જ રહેતુ નથી. રાગ ને દ્વેષના પરિણામનું કારણુ ઘાતિ કર્મનો ઉદ્દય છે. જ્યારે સિદ્ધો તો ઘાતિ અઘાતિ બન્નેથી મુક્ત બનેલા છે. સંસારી આત્માઓને કોઈપણ પદાર્થનું સંપૂજ્ઞાન હોતુ નથી, કારણ કે એકને જે સંપૂર્ણપણે જાણે તે સર્વને જાણે. અને સર્વને જાણે તે એકને જાણે. સંસારી એકે પદાર્થ ને તેના સંપૂર્ણ દ્રવ્યગુણ પર્યાયથી જાણુતા નથી, તેથી સર્વને પણુ જાણુતા નથી. છતાં સ’સારીઓના રાગ દ્વેષના પરિણામ તીવ્ર હોય છે, તેના કારણેજ સંસારી પ્રતિ સમયે નવાં કર્મ આંધતા હોય છે. સમ્યગજ્ઞાન અને દર્શનના બળે સ`સારી આત્માઓ પણ રાગ દ્વેષ પર વિજય મેળવીને પરંપરાએ સંપૂર્ણ વીતરાગ દશાને પામીને અનંત જ્ઞાન અને અનંત દર્શનની ઉચ્ચ ભૂમિકાએ પહોંચી શકે છે.
સાધનને સાધ્ય માની લેવાની ભૂલમાંથી બીજી અનેક ભૂલો ઊભી થઈ
૬૩
સુક્ષ્માતિસુક્ષ્મ વિષય પર આપણે આટલી લખાણુથી વિશદ છણાવટ કરી છે, જ્યારે આપણો મૂળ વિષય તો ન્યાય સંપન્ન વિભવનો હતો. નીતિને માર્ગે ચાલનારા મનુષ્યોને શુભ કર્મના યોગે સર્વ સંપદાઓ વશ થઇને સામેથી આવી મળે છે. છતાં આ કાળમાં મનુષ્યોને ભ્રમ થઈ ગયો