SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ મંગલાચરણ નિરાકારને સાકાર ઉપયોગ હોય છે, જ્યારે ઉપયોગાત્મા સિદ્ધ પર્યાયમાં પણ એટલે ઉપયોગની ધારા સિદ્ધ પર્યાયમાં પણ અતૂટ રહે છે. કેવલજ્ઞાન અને કેવલદન સિદ્ધોને પણ હોય છે. જ્ઞાન સાકાર ઉપયોગ છે તો દન નિરાકાર ઉપયોગ છે. સિદ્ધોને પ્રથમ સમયે સાકાર ઉપયોગ હોય છે, તો દ્વિતીય સમયે નિરાકાર હોય છે. જ્યારે સંસારી છદ્મસ્થ આત્માઓને સંસાર પર્યાયમાં પ્રથમ નિરાકાર ઉપયોગ હોય છે, તે પછી સાકાર ઉપયોગ હોય છે. સિદ્ધોને કેવલજ્ઞાન અને કેવલદન હોવાથી એક સમયમાં સર્વ લોકાલોકના ભાવો જણાઈ આવે છે. જ્યારે છદ્મસ્થ સંસારી જીવો જિંદગીભર ઉપયોગ મૂકયા કરે, તો પણ સર્વ ભાવોને જાણી શકતા નથી. છદ્મસ્થ અવસ્થામાં પદાર્થને જાણવા ઉપયોગ મૂકવો પડે છે, જ્યારે સર્વજ્ઞ અવસ્થામાં લોકાલોકના બધા ભાવો સ્હેજે જણાઈ આવે છે, તેમને ઉપયોગ મૂકવો પડતો નથી. મતિ, શ્રુત, અધિ અને મન:પર્યાયજ્ઞાન સુધી ઉપયોગ દેવો પડે છે. જ્યારે કેવળીને ઉપયોગ લગાવવાનો રહેતો નથી. આરિસામાં જેમ તેની સામે રહેલા પદાર્થો એની મેળે પ્રતિબિંબિત થઈ જાય છે, તેમ સ્વચ્છ અને અત્યંત નિર્મળ એવા કેવલજ્ઞાનરૂપી આદર્શમાં લોકાલોકના ભાવો (Automatic) ઓટોમેટીક પ્રતિબિંબિત થતાં હોય છે. સિદ્ધ ભગવંતો પ્રતિ સમયે લોકાલોકના ભાવોને જાણતા હોવા છતાં કોઈ પણ ભાવોમાં તે રાગ દ્વેષને કરનારા દોતા નથી. કારણ કે તેઓ જ્ઞાનની
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy