________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૧) શ્રીજિનમૂર્તિ ભરાવવા માટે (૨) શ્રીજિનમૂર્તિનો લેપ કરાવવા માટે (૩) શ્રીજિનમૂર્તિના ચક્ષુ, ટીકા, તિલક આંગી બનાવવામાં
(૪) શ્રીજિનમૂર્તિની જડતરાદિની અંગરચનાદિ કરવામાં (૨) શ્રીજિનમંદિર દ્રવ્યઃ દેવદ્રવ્યઃ
શાસ્ત્રાનુસારી પરંપરા અનુસારે નીચે જણાવેલા આલંબનોથી પ્રાપ્ત થતા દ્રવ્યને શ્રીજિનમંદિર દ્રવ્ય-દેવદ્રવ્ય કહેવાય છે. (૧) પરમાત્મા સમક્ષ મૂકેલા ભંડારમાં સમર્પિત થયેલ દ્રવ્ય-ભંડારની તમામ
આવક (૨) પરમાત્માના પાંચ કલ્યાણકોને અનુસરીને બોલાતી ઉછામણી (૩) સ્વપ્ન અવતરણ-દર્શનાદિની તથા પારણા સંબંધી ઉછામણી (૪) શાંતિસ્નાત્ર, સિદ્ધચક્ર પૂજન, પ્રતિષ્ઠા, અંજનશલાકા આદિ
મહોત્સવોમાં જિનભક્તિ સંબંધી તમામ ઉછામણીઓ (૫) ઉપધાન પ્રવેશના નકરાની રકમ (૯) ઉપધાન-માલારોપણની ઉછામણી (૭) તીર્થ-માલારોપણની ઉછામણી (૮) રથયાત્રાદિની તમામ ઉછામણી (૯) દેવદ્રવ્યના મકાનો, ખેતરો, બગીચાઓ વગેરેની આવક (૧૦) દેવદ્રવ્યના વ્યાજની આવક (૧૧) મંદિરમાં પરમાત્માને ભેટ કરેલાં છત્ર, ચામર, ભંડાર, ફરનિચર
વગેરે (૧૨) પરમાત્માને ધરેલાં ફળ, નૈવેદ્ય, ચોખા વગેરે (૧૩) આરતી-મંગલદીવાની ઉછામણી અને થાળીમાં મૂકાતા પૈસા (૧૪) અષ્ટપ્રકારી પૂજા કરવા વગેરેની ઉછામણી