________________
પ્રકરણ - ૧ : શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યાસદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો
પ્રસ્તુત વિચારણાની આંશિક રૂપરેખા પૂર્વે “ઉપોદ્ધાતમાં જણાવી છે. અહીં પ્રથમ પ્રકરણમાં નીચેના ક્રમે વિચારણા કરીશું. » શુદ્ધદેવદ્રવ્યની શાસ્ત્ર અને પરંપરાને માન્ય વ્યાખ્યા... – શુદ્ધદેવદ્રવ્યની આવકના સ્રોતો અને તેનો સદુપયોગ... - વિશેષ સંયોગોમાં આયોજાયેલા વિ.સં. ૧૯૭૬-૧૯૯૦ અને
૨૦૧૪ના શ્રમણ સંમેલનોના સર્વસંમત ઠરાવો... – મર્યાદિત એવા વિ.સં. ૨૦૪૪ના સંમેલનના શાસ્ત્રવિરુદ્ધ ઠરાવો
અને એની સમાલોચના... » વિ.સં. ૨૦૪૪'ના શાસ્ત્રવિરુદ્ધ ઠરાવોના સમર્થનમાં લખાયેલા પુસ્તકોની વાતોની આંશિક સમાલોચના. દેવદ્રવ્ય' પદનો સામાન્ય અર્થ દેવ સંબંધી દ્રવ્ય થાય છે.
– શ્રીજિનમૂર્તિ અને શ્રીજિનમંદિરઃ આ બે ક્ષેત્રો માટે પ્રાપ્ત થયેલી રકમ મુખ્યપણે દેવદ્રવ્ય સંબંધી કહેવાય છે. અર્થાતુ શ્રીજિનેશ્વર પરમાત્માની ભક્તિ સ્વરૂપે આવેલા દ્રવ્યને દેવદ્રવ્ય કહેવાય છે. (૧) શ્રીજિનમૂર્તિદ્રવ્યઃ દેવદ્રવ્યઃ
શાસ્ત્રાનુસારી પરંપરા અનુસાર શ્રીજિનમૂર્તિના નિર્માણ માટે આવેલું દ્રવ્ય તથા શ્રીજિનપ્રતિમાજીની ભક્તિ માટે આવેલું દ્રવ્ય શ્રીજિનમૂર્તિદ્રવ્યઃ દેવદ્રવ્ય કહેવાય છે. - સદુપયોગ:
શ્રીજિનમૂર્તિ દ્રવ્ય-દેવદ્રવ્યનો શાસ્ત્રાનુસારી પરંપરા મુજબ સદુપયોગ નીચે મુજબ થાય છે -