________________
પરિશિષ્ટ-૧૫
પૂ.આ.ભ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પૂ.આ.શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ.સા.નો ધામિક દ્રવ્યઃ દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય અંગેની માન્યતા:
(આધાર : પુસ્તક, “વાંચો-વિચારો અને વંચાવો” અને “સ્વપ્નદ્રવ્ય અંગે માર્મિક બોધ.” પ્રકાશનવર્ષ - વિ. સં. ૨૦૪૪-૨૦૫૧. આ પુસ્તકના આધારે અહીં જરૂરી વિષયો સંગ્રહીત કર્યા છે.)
૧. શ્રી જિનબિમ્બદ્રવ્ય અને તેનો સદ્વિનિયોગ:
માત્ર શ્રી જિનેન્દ્ર પરમાત્માના બિબો પ્રતિમાજી ભરાવવા માટે જ અથવા શ્રી જિનેન્દ્ર પરમાત્માની ભક્તિમાં જ ઉપયોગ કરવા નિમિત્તે અર્પણ કરેલ દ્રવ્ય તેમજ તેનું ઉત્પન્ન થયેલ વ્યાજ આદિ જિનબિંબ (જિનપ્રતિમાજી) ખાતાનું ગણાય. તે દ્રવ્યનો વિનિયોગઃ
(૧) શ્રી જિનેન્દ્ર પરમાત્માના આરસ, રત્ન, સોના, રૂપા પંચધાતુ આદિના બિંબો (પ્રતિમાજી) ભરાવવામાં. (૨) શ્રી જિનેન્દ્ર પરમાત્માના વિવિધ પ્રકારના આભૂષણ આદિનું નિર્માણ કરાવવામાં. (૩) શ્રી જિનેન્દ્ર પરમાત્માના ચક્ષુ તિલકાદિમાં. (૪) શ્રી જિનેન્દ્ર પરમાત્માના પ્રતિમાજીને લેપ કરાવવામાં. (૫) શ્રી જિનેન્દ્ર પરમાત્માની અંગરચના કરાવવામાં.
તેમજ શ્રી જિનેન્દ્ર પરમાત્માના પ્રતિમાજીને અનુસરતા કાર્યોમાં શ્રી જિનબિંબના દ્રવ્યનો વિનિયોગ કરી શકાય. માત્ર જિનબિંબ નિમિત્તના દ્રવ્યનો જિનમંદિર નિર્માણ, ભંડારકે ત્રિગડું આદિમાં ઉપયોગ ન કરી શકાય. ૨. શ્રી જિનચૈત્યદ્રવ્ય અને તેનો સદ્વિનિયોગ -
શ્રી જિનેન્દ્રભક્તિના પ્રકારોઃ શ્રી જિનેન્દ્ર પરમાત્માની ભક્તિ જેમ કે, સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા, શ્રી