SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા શંખેશ્વરજીની પેઢી તરફથી મળેલ પત્રની નકલ અક્ષરશઃ નીચે મુજબ છે. “પત્ર જા નં. ૧૮૫/૧૫/૯૫ શેઠ જીવણદાસ ગોડીદાસ પ્રતિ, શ્રી મહેન્દ્રભાઈ સાકરચંદ શાહ શંખેશ્વર પાર્શ્વનાથ બંગલા નં. ૧/૧, કેવડીયા કોલોની, જૈન દેરાસર ટ્રસ્ટ જિ. ભરૂચ-૩૯૩૧૫૧ વાયા-હારીજ, મુ. શંખેશ્વર, જિ. મહેસાણા. તારીખ: ૨૨-૫-૯૫ શ્રીમાનજી, જય જિનેન્દ્ર સાથે લખવાનું કે, આપનો પત્ર તા. ૧૭-પ-૯૫નો મળેલ છે. જેમાં આરતી/મંગળદીવાના પૈસા બાબતે પૂછાવેલ. સદરહુ આરતી મંગળદીવાના પૈસા ભંડારમાં જાય છે. પૂજારીને અત્રે અપાતા નથી. જે વિદિત થાય, કામ સેવા લખાવશો. - લિ. જનરલ મેનેજર કનુભાઈના જય જિનેન્દ્ર વાંચશોજી.” (નોંધઃ સૌથી મોટા વહીવટને સંભાળતી તીર્થની પેઢીઓમાં આરતી મંગળદીવાની આવકદેવદ્રવ્ય ખાતે જમા કરી, શાસ્ત્રીય પ્રથાનું પાલન થાય છે, તે આનંદ અને અનુમોદના કરવા યોગ્ય છે. ભારત અને ભારત બહારના તમામ જિનાલયોના વહીવટદારો આ આદર્શને લક્ષ સામે રાખી શાસ્ત્રીય હિતકારી માર્ગને અમલી બનાવે એ જ અભિલાષા.) (“ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો?” પુસ્તકમાંથી સાભાર)
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy