________________
પરિશિષ્ટ-૨
એવા ઠરાવો વ્યાજબી ગણાય નહિ.
સાધારણ ખાતાની ખોટની બૂમો અનેક ઠેકાણે સંભળાય છે. પરંતુ તમારા જેવા જવાબદાર ધર્મરુચિવાળા જીવો ધારે તો એકલા હાથે એટલી રકમ આપી શકે કે જેના વ્યાજમાંથી પણ આવા પરચુરણ ખરચો નભતા રહે અને પોતાના દૃષ્ટાંતથી બીજાને પણ એ માર્ગે પ્રેરી શકે. જ્યારે એના એ સમાજે જ ખર્ચ ઉપાડવાનો છે તો પ્રથમથી જ સાધારણની સારી જેવી ટીપ કરી લેવી હિતાવહ ગણાય.
૩૨૯
હમોએ તમારા કરેલા ઠરાવ મુજબના ઠરાવો કેટલાક ઠેકાણે થયેલા જાણ્યાં છે. પરંતુ પણ તે જુદા જ છે અને અમો પણ જ્યાં સુધી હમારો આવાજ પહોંચી શક્યો છે, ત્યાં સુધી વસ્તુને મૂળ સ્થિતિ ઉપર લાવી સાધારણની જુદી ઉપજ કરાવવા પ્રયત્ન કર્યો છે અને ગુરુકૃપાએ કેટલાક સ્થળે સફળતા પણ મળી છે.
ઘણા સ્થળો એવા પણ જોવામાં આવે છે કે જ્યાંના કારભારીઓ પોતાની બુદ્ધિ અનુસાર અમુક વ્યવસ્થા વરસો સુધી ચલાવી રાખે છે અને સ્થિતિ સાફ બગડતા મુનિરાજો પાસે ફરિયાદ લઈને જાય છે, જેનું પરિણામ અરણ્યરૂદન સિવાય કાંઈ પણ આવતું નથી. ધર્મકાર્ય લખશો. ધર્મકાર્યમાં ઉદ્યમ રાખશો. · ક્ષમાવિજય
હમારા અક્ષર બરાબર વાંચી ન શકાય આટલા ખાતર પત્ર ગુજરાતીમાં લખાવ્યો છે. વસ્તુસ્થિતિ વિચા૨ી ત્યાં શ્રી સંઘને કલ્યાણકારી પ્રવૃત્તિમાં કાયમ રાખશો.
ખંભાત, સૂરત વગેરે પ્રાચીન પ્રણાલિકા રુચિવંત શહેરોમાં આવી ઘાલમેલ નથી.
સ્વપ્નની ઉપજનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય !
તેને અંગે પૂ. પાદ સુવિહિત આચાર્યાદિ મહાપુરુષોનો શાસ્ત્રાનુસારી મહત્ત્વનો આદેશ
(નોંધ - વિ. સં. ૧૯૯૪માં પૂ. પાદ સુવિહિત શાસનમાન્ય ગીતાર્થ આચાર્ય ભગવંતોના શાસ્ત્રાનુસારી જવાબ સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ લઈ જવાય તેમાં ભાવ