SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ વિ.સં. ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪ ના ઠરાવો (A) સંવત ૧૯૭૬માં ખંભાતમાં શ્રમણસંમેલને દેવદ્રવ્ય સંબંધી કરેલ નિર્ણયો (ખંભાત મુકામે પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રીમદ્ વિજય કમલસૂરીશ્વરજી મહારાજ, શ્રીમાન્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ, પંન્યાસજી મહારાજ શ્રીમદ્ દાનવિજયગણિ અને પંન્યાસજી મહારાજ શ્રીમદ્ મણિવિજયજી ગણિ વગેરે મહાત્માઓએ એકત્રિત થઈને પૂ.આ.ભ.શ્રીહરિભદ્રસૂરિકૃત ઉપદેશપદ, આવશ્યકવૃત્તિ, ષોડશક અને સંબોધપ્રકરણ, શ્રીમજિનેશ્વર-સૂરિકૃતિ અષ્ટકવૃત્તિ, બૃહત્કલ્પ, વ્યવહાર અને નિશીથભાષ્યાદિ શાસ્ત્રોના આધારે દેવદ્રવ્યની વૃદ્ધિ અને રક્ષણ-ભક્ષણનું ફળ તેમજ તેની આવક ફેરવી ન શકાય એમ જણાવનાર એક નિર્ણય લખ્યો અને તે નિર્ણયને જૈનતંત્રીએ “દેવદ્રવ્ય સંબન્ધિ” આ મથાળાથી તા. ૨૧મી માર્ચ સને ૧૯૨૦ના અંકમાં પ્રસિદ્ધ કર્યો.) (૧) શાસ્ત્ર (સાક્ષાત-અનન્તર અને પરંપરા રૂ૫) વિના કોઈ પણ જાતની સિદ્ધિ જ નથી. (૨) જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપાને માનનારને જિનચૈત્યની તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે. (૩) શાસ્ત્રોક્ત રીતિએ દેવદ્રવ્યની વ્યાજ વગેરે દ્વારા વૃદ્ધિ અને રક્ષા કરવી એ શ્રાવકોનું મુખ્ય કાર્યોમાંનું એક કાર્ય છે, અરે સંસારથી પાર ઉતરવાનો તે એક માર્ગ છે. (૪) જૈનથી પણ ન થાય તેવા પાપ કાર્યોમાં દેવદ્રવ્યનો વ્યય થતો નથી. (૫) પાંચ સાત મુખ્ય સ્થાનો સિવાયનાં સ્થળોએ દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય એ ઉભયની એક સરખી જરૂરત છે. (૬) દેવદ્રવ્યની જે જે આવકો મકાનના ભાડા દ્વારાએ, વ્યાજ દ્વારાએ પૂજા-આરતી-મંગળદીવો વગેરે વગેરેના ચઢાવા દ્વારાએ થતી હોય, તે તે રસ્તાઓને બંધ કરવાનું ફળ શાસ્ત્રકારો સંસાર પરિભ્રમણ કહે છે. (૭) માલોદ્ઘાટન પરિધાપનિકામોચન અને પૂંછનકરણ વગેરેમાં ચડાવાથી કાર્ય કરવાની રીતિ સેંકડો વર્ષ પહેલાંથી ચાલી આવતી
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy