________________
પ્રકરણ - ૭ : કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૨૫
આ વાત બરાબર નથી. કેમ કે, આમ કરવા માટે તેઓ પાસે શાસ્ત્ર પાઠ નથી. વળી એમ કરવામાં ગૌરવ દોષ પણ આવે છે. કેટલાક કહે છે કે બોલીની રકમ પૂજા દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ ભલે તેમ જરૂર કરી શકાય. પણ તે માટે તેમને શાસ્ત્ર પાઠ આપવો પડશે ને ?’’
સમાલોચના ઃ
(૧) બે પૂ.આચાર્ય ભગવંતોના વિચારો-માન્યતાઓ આપણે જોઈ જ છે. તેઓ બોલીના દ્રવ્યને શુદ્ધદેવદ્રવ્ય જ માનતા હતા. તેઓએ ચારેય બોલીના દ્રવ્યને પૂજા કે કલ્પિત દેવદ્રવ્યમાં સમાવવાની પ્રરૂપણા કરી નથી.
(૨) પૂર્વોક્ત મુદ્દા-૧૬ની બાકીની વિગતો માટે એટલું જ કહેવાનું છે કે, તેઓ ત્યાં એવું ફલિત કરવા માંગે છે કે, દેવદ્રવ્યના પૂજાદિ ત્રણ પ્રકાર સિવાય બીજા પ્રકાર નથી. તો તે તેમની વાત સાચી નથી. કારણ કે, દ્રવ્યસપ્તતિકા અવસૂરિમાં પૃ. ૨૪ ઉપર
‘‘આતિ-લ્પિત-નિર્માત્યાવિપ્રવારે સમ્ભાવ્યતે ।''
અર્થ : દેવદ્રવ્ય આચરિત-કલ્પિત-નિર્માલ્ય આદિ પ્રકારો વડે સંભવિત છે.
આ પાઠમાં ‘આદિ’ પદથી દેવદ્રવ્યના બીજા પ્રકારો જણાવ્યા જ છે. તે કયા છે ? તે તેમણે જણાવવું જોઈએ અને લોકોથી એ વાત છૂપાવવાનું પાપ શા માટે કરવું પડ્યું છે ? તે પણ જણાવવું જોઈએ.
(૩) પૂ.સાગરજી મ.સાહેબે કલ્પિત દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર આપવાની વાત કરી છે, તેમાં અમારો નિષેધ જ ક્યાં છે ? માત્ર ‘પૂ. સાગરજી મ.સાહેબે જે બોલીની રકમનો પ્રક્ષેપ કલ્પિત દેવદ્રવ્યમાં કર્યો નથી, તે તેમના નામે ચઢાવો છો,' તેનો જ વાંધો છે - વિરોધ છે. સંબોધ પ્રકરણ ગ્રંથના આદેશાનુસાર કલ્પિત દેવદ્રવ્યમાંથી તો અજૈનજૈન એમ બંને પૂજારીને પગાર આપી શકાય જ છે.
(૪) પૂજ્ય સાગરજી મ. સાહેબના ચૈત્યદ્રવ્ય યાને દેવદ્રવ્ય’