________________
પ્રકરણ - ૬ : બોલી-ઉછામણી શાસ્ત્રીય કે અશાસ્ત્રીય?
૧૮૯ પોતાના “વિશ્વશાંતિનો મૂલાધાર” પુસ્તકમાં કર્યા છે. ત્યાં બોલીને દેવદ્રવ્યની વૃદ્ધિ માટેની સુવિહિત મહાપુરુષોએ પ્રવર્તાવેલી પ્રથા તરીકે બતાવી છે અને વર્ષો પછી વિચારો બદલાઈ ગયા? કારણ શું? સંદર્ભો બદલાઈ ગયા. હવે કલ્પિત દેવદ્રવ્યની નવી વ્યાખ્યા પ્રવર્તાવવાની છે અને એના દ્વારા સ્વકપોલ કલ્પિત મતની સિદ્ધિ કરવાની છે. જ્યારે વિ.સં. ૨૦૪૪ પૂર્વે એવું કોઈ કારણ નહોતું. માટે જ પોતાના પૂ.વડીલોના વિચારો મુજબ બોલાતું અને લખાતું હતું. એમ જ માનવું પડે ને!
(૨) પૂર્વોક્ત લખાણમાં લેખકશ્રીએ શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોના ગ્રંથકારો, પોતાના સં. ૧૯૭૬ આદિના સંમેલનના સૂત્રધાર એવા પૂ. વડીલોને અને પોતાના જ લખાણોને ખોટા ઠેરવ્યા છે.
(C) ધાર્મિક વહીવટ વિચાર' પ્રથમ આવૃત્તિ-શુદ્ધિપત્રક-પૃ. ૧૫૬. ચડાવા માટે વળી અલગ અભિપ્રાય:
બોલી-ચડાવાની શરૂઆત ક્યારથી થઈ ?” આ લેખનો વિચાર એ તેના લેખકનું એક અનુમાન છે. ચિંતન કરતાં મને પણ તે વાત પ્રામાણિક લાગે છે. છતાં જો અન્ય ગીતાર્થ ભગવંતો અન્ય અભિપ્રાય ધરાવતા હોય અને તે તાત્ત્વિક રીતે યોગ્ય જ હોય તો તેનો જ સ્વીકાર કરવો જોઈએ.”
ટિપ્પણી : (૧) પૂર્વોક્ત લખાણમાં જે લેખની વાત છે. તે પં. શ્રી કલ્યાણવિ.મ.નો લેખ છે. લેખકશ્રીને એ પ્રામાણિક લાગ્યો છે. પરંતુ લેખકશ્રી એ ભૂલી જાય છે કે પોતાના પૂજ્ય વડીલો એ લેખના લેખકને તદ્દન અપ્રામાણિક માનતા હતા અને તેના ઘણા કારણો હતા. પરંતુ ગરજના કારણે અત્યારે તેમને એ પ્રામાણિક લાગવા લાગ્યા છે અને પ્રામાણિક શિષ્ટપુરુષો અપ્રિય બની ગયા છે.
(૨) પં. કલ્યાણવિજયજીના સ્વમતિકલ્પિત અભિપ્રાયો અને સ્વચ્છેદ વિચારો અહીં (સંમેલનની ભીતરમાં' પુસ્તકમાંથી લઈને) પ્રગટ કરીએ