________________
પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય ૧૭૫
– અહીં ઉલ્લેખનીય છે કે, ધા.વ.વિ.ના પરિશિષ્ટકારે દર્શનશુદ્ધિના પાઠના વિષયમાં અને સંકાશના ઉદાહરણમાં પણ સાચી હકીકત છૂપાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો કુટીલ પ્રયાસ કર્યો છે. અહીં બીજું તો શું કહીએ ! પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાના ૧૨૫ ગાથાના સ્તવનની નીચેની પંક્તિ યાદ આવી જાય છે –
“કેઈ નિજદોષને ગોપવા, રોપવા કેઈ મત કંદ રે,
ધર્મની દેશના પાલટે, સત્ય ભાષે નહીં મંદ રે. સ્વામી.” (સંકાશનું ઉદાહરણ આગળ જોઈશું. હવે બીજા ગ્રંથોના પાઠો અંગે વિચારીશું.)
(H) દ્રવ્યસપ્તતિકાનો બીજો પાઠઃ
'चैत्यादिद्रव्यविनाशे विवक्षितपूजादिलोपः, ततः तद्धतुकप्रमोदप्रभावनाप्रवचनवृद्धेरभावः, ततो वर्धमानगुणशुद्धे रोधः, ततो मोक्षમાવ્યયાતિ , તો મોક્ષ વ્યાયા: ' (પૃ. ૨૮)
અર્થઃ ચૈત્યાદિદ્રવ્યનો વિનાશ કરવામાં આવે તો વિવક્ષિત (ગ્રન્થમાં પૂર્વે કહેવાયેલી) પૂજા વગેરે બંધ પડી જાય છે, તે બંધ પડવાથી તેના નિમિત્તે થનાર પ્રમોદ, (શાસન) પ્રભાવના, પ્રવચનવૃદ્ધિ વગેરે અટકી જાય છે. એ અટકવાથી એ પ્રમોદાદિથી જે ગુણોની શુદ્ધિ વધવાની હતી તે રંધાઈ જાય છે, એ રુંધાવાથી મોક્ષમાર્ગનો વ્યાઘાત થવા દ્વારા મોક્ષનો (મોક્ષપ્રાપ્તિનો) વ્યાઘાત થાય છે.
(I) વસુદેવહિંડીનો પાઠ - (પ્રથમ ખંડ)
जेण चेइयदव्वं विणासि तेण जिणबिम्बपूआईसणआणंदितहिययाणं भवसिद्धियाणं सम्मइंसण-सुअ-ओहि-मणपज्जव-केवलनाण-निव्वाणलाभा पडिरुद्धा।
અર્થ જે ચૈત્યદ્રવ્યનો નાશ કરે છે, તે જિનપ્રતિમાની પૂજા જોઈને આનંદિત હૃદયવાળા થનારા ભવ્યજીવોને એ દ્વારાએ થનારી સમ્યગ્દર્શન